SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ • ૭૮ નમસ્કારમંત્રસિદ્ધિ શણગાર તથા રક્ષણહાર, સદાચારપ્રવર્તક એવા આચાર્ય ભગવતેને મારે નમસ્કાર છે.” જવાચા-ઉપાધ્યાય ભગવંતેને. જેમની સમીપે વસવાથી શ્રુતને આય અર્થાત્ લાભ થાય, તે ઉપાધ્યાય કહેવાય. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે “જે બાર અંગવાળા સ્વાધ્યાય અર્થથી જિનેશ્વરેએ પ્રરૂપેલે છે અને સૂત્રથી ગણુધરેએ ગુથેલે છે, તે સ્વાધ્યાયને શિષ્યને ઉપદેશ કરે છે, તેથી તે ઉપાધ્યાય કહેવાય છે.” તાત્પર્ય કે સાધુઓને દ્વાદશાંગી તેમજ અન્ય સૂત્રસિદ્ધાંત ભણાવનાર કૃતધર મુનિવરે ઉપાધ્યાય તરીકે ઓળખાય છે. વાચક, પાઠક, ગણચિંતક, એ તેના પર્યાય શબ્દો છે. આથી “ન કક્ષાવાળ” પદને વિશેષાર્થ એમ સમજવાને કે “તીર્થંકર પરમાત્મા પ્રરૂપિત મહામહિમાશાળી શ્રુતજ્ઞાનનું મુનિવરેને અધ્યયન કરાવનારા તથા ગણુની સદા ચિંતા કરનારા એવા ઉપાધ્યાય ભગવતેને મારે નમસકાર છે.” ઢોણ-કમાં. અહીં લેક શબ્દથી મનુષ્યલેક સમજો કે જ્યાં સંયમમાર્ગની સાધના કરનાર મુનિવરે વિદ્યમાન હોય છે. સ્વર્ગ અને પાતાલમાં જિનમંદિરે તથા જિનમૂર્તિઓ હોય છે, પણ સાધુ ભગવતે હેતા નથી. સવ્યસા–સર્વે સાધુભગવે તેને જે નિર્વાણુ સાધક રોગની સાધના કરે, તે સાધુ કહેવાય. અથવા જે સ્વહિત અને પરહિતની સાધના કરે, તે સાધુ કહેવાય. જ્યારે કોઈ આત્મા વૈરાગ્યથી વાસિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy