SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રનું અક્ષરસ્વરૂપ તે અધ્યયન કહેવાય છે. તે શું નમસ્કારને પ્રથમ વિભાગ આપણું ચિત્તને અધ્યાત્મ તરફ સારી રીતે લઈ જનારે નથી? અથવા બેધ, સંયમ કે મેક્ષને લાભ કરાવનારે નથી? તેને જવાબ હકારમાં જ આવવાને, એટલે પ્રથમનાં પાંચ પદેને પ્રાપ્ત થતી અધ્યયનસંજ્ઞા સાર્થક છે. જે કૃતરૂપી પર્વત ઉપર ચૂલા એટલે શિખરની જેમ રાજે, તે ચૂલા કે ચૂલિકા કહેવાય છે અને તે પ્રાયઃ સૂત્રના છેડે જ આવે છે. આ રીતે પાછલનાં ચાર પદો પ્રથમનાં પાંચ પદોને શોભાવનારાં તથા તેના છેડે આવેલા હાઈચૂલા કે ચૂલિકા તરીકે પ્રખ્યાત થયેલા છે. નમસ્કારમંત્ર પંચપદાત્મક કે નવપદાત્મક? કેટલાક લેકે ભગવતીસૂત્રમાં આવતાં નમસ્કારનાં પ્રથમનાં પાંચ પદે પરથી તેને પંચપદાત્મક માનવા પ્રેરાયા છે અને તેને આગ્રહ પણ રાખે છે, પરંતુ ત્યાં મંગલાચરણને પ્રસંગ છે, તેથી જરૂર પ્રમાણે પ્રથમનાં પાંચ પદો લીધાં છે. જે અહીં આવતાં પાંચ પદે પરથી નમસ્કારમંત્રને પંચપદાત્મિક માનવા પ્રેરાઈએ તો એરીસાની હાથીગુફા તથા ગણેશગુફા પર મહામેઘવાહન લિંગાધિપતિ મહારાજા ખારવેલના શિલાલેખમાં નીચેના બે પદે જ જોવામાં આવે છે: “તો રહૃાા નમો સિદ્ધાન” તે શું નમસ્કારમંત્રને માત્ર બે પદને જ માનવા પ્રેરાઈ શું? અને કેટલાંક ઠેકાણે તે માત્ર “નો સિદ્ધા” એ એક જ પદ આવે છે, તે શું નમસકારમંત્રને માત્ર એક પદને જ માનવા પ્રેરાઈશું? સાચી હકીક્ત એ છે કે નમસ્કારમંત્ર નવપદાભક જ છે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy