SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રદિવાકર વેદ જેટલું જ માન આપે છે અને આ કલિયુગમાં તે. તેને જ મુખ્ય આધાર છે, એમ જણાવે છે. • મહાનિર્વાણતંત્રમાં કહ્યું છે કે “કલિના દોષયુક્ત પ્રભાવથી દીન બનેલા બ્રાહ્મણ ક્ષત્રિયની પવિત્રતા–– પવિત્રતાને વિચાર કરી શકશે નહિ; તેથી વેદવિહિત. કાર્ય દ્વારા તેઓ શી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે? સ્મૃતિ, સંહિતા આદિ દ્વારા પણ કલિયુગના મનુષ્યોને ઈષ્ટ સિદ્ધિ. થઈ શકશે નહિ. પ્રિયે! હું સત્ય, સત્ય, સંપૂર્ણ સત્ય કહું છું કે કલિયુગમાં આગમમાગ ગ્રહણ કર્યા સિવાય મનુષ્યને છૂટકે જ નથી. ભગવતિ ! મેં વેદ, સ્મૃતિ, પુરાણ, આદિમાં કહ્યું છે કે કલિયુગમાં બુદ્ધિમાન મનુષ્ય આગમમાં કહેલા સરલ વિધિ-વિધાન દ્વારા પિતાના ઈષ્ટ દેવી-દેવતાનું પૂજન-અર્ચન કરીને સંતોષ પ્રાપ્ત કરી શકશે. જે મનુષ્ય. કલિયુગમાં આગમનું ઉલ્લંઘન કરીને અન્ય માર્ગો ગમન. કરશે, તેમની નિશ્ચય સદ્ગતિ થશે નહિ આ રીતે બીજું પણ ઘણું વિવેચન કરાયેલું છેતેને આપણે કદાચ સાંપ્રદાયિક ચામહ સમજી લઈએ. * પણ એટલી વાત નિશ્ચિત છે કે વેદોક્ત ક્રિયાકાંડે ઘણું જટિલ અને ખર્ચાળ હોવાથી, તે તરફ લેકેનું મમત્વ. ' ઘટતું ગયું અને તેઓ સરલ સાધનની શોધમાં હતા, ત્યારે. શક્તિ સંપ્રદાયે તેમને એ પ્રકારનાં સાધનો પૂરાં પાડ્યાં. તેથી તેને ઘણે સત્કાર થયે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy