SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ : - - તેમાં પણ જેણે જીવનનાં ઘણાં વર્ષો શાસ્ત્રનાં મંથનમાં ગાળ્યાં હોય, અનેકાનેક વિદ્વાનોનો સત્સંગ મેળવ્યું હોય, વિવિધ પ્રવાસો કરી પ્રાચીન ભંડારમાંથી ગ્રંથો જોઈ એક બીજાની કડીઓ જોડી હોય અને ગુરુકૃપા તથા ઈશ્વરકૃપા વડે સશક્ત લેખનકળા પ્રાપ્ત કરી હોય, તેવા મનીષી વડે વ્યવસ્થિત અને પ્રામાણિક મંત્રવિષયક-સાહિત્યસર્જન થાય તે જ સામાન્ય જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂર્ણ થાય. આમ તો પુસ્તક-વ્યાપારને લક્ષ્યમાં રાખી મંત્ર-યંત્ર કે તંત્રને લગતી નાનીમોટી ઘણી ચોપડીઓ બજારમાં મળે છે, પણ તેથી કઈ ઉત્તમમાર્ગ દર્શન મળશે, એવી આશા રાખવી નિરર્થક છે. તેમજ શાસ્ત્રીય વિવેચનવાળા ચ મુખ્યત્વે સંસ્કૃતમાં અને કેટલાક અંગ્રેજી ભાષામાં પણ લખાય છે, પરંતુ પ્રાંતીય ભાષામાં તે તેમને અભાવ જ કહેવાય. તે બધું જાણી જોઈને જ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ગુજરાતી ભાષામાં મંત્રવિષયક ઉત્તમ સાહિત્યસર્જન આર્યું છે. તે માટે ગુજરાતની પ્રજા તેમની સણું રહેશે. શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ સુદીર્ઘકાળથી શબ્દબ્રહ્મની નૈષ્ઠિક ઉપાસનામાં તત્પર આદરણીય શતાવધાની, ગણિતદિનમણિ પં. શ્રી ધીરજલાલભાઈ પિતે બહુકૃત, બહુદષ્ટ અને બહુપતિ છે, એટલે તેઓ સાહિત્યકારના વાસ્તવિક બિરુદને પાત્ર છે. સાહિત્યકારની પરિભાષા મારી દૃષ્ટિમાં આ રીતે છે – श्रुतं बुधेभ्यः पठित गुरूभ्यः समीक्षितं नेत्रयुगेन येन। નાલં ત્રિવેણામય ન જાય, ત્યાર: ર દિ સત્યમેવ છે. ' - આ રીતે તેઓ સાચા સાહિત્યકારે છે. શ્રી ધીરજલાલભાઈએ આજ સુધી વિવિધ વિષયો પર સંખ્યાબંધ ગ્રંથ લખ્યા છે અને તેમાં કેટલાક તો અસાધારણ પ્રતિભાના કારણે સર્વમાન્ય ગ્રંથની " શ્રેણીમાં પહોંચી લૌકિક ભવ્ય સન્માનને પણ વર્યા છે. આજે તેઓ - પિતાની ઉત્તમ કૃતિઓ, શ્રેષ્ઠ કાર્યકલાપ અને શંસનીય ધર્મ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy