SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩.! નહિ, વગેરે. એટલે જે અર્થો માત્ર શાસ્ત્ર વડે જ જાણી શકાય તેઓને વ્યર્થ તર્કોથી દૂષિત ન કરતાં પોતાના સંપ્રદાય અને “મારા વડે જપાયેલા મંત્રથી મને સિદ્ધિ અવશ્ય મળશે–આવા વિશ્વાસથી સર્વ પ્રકારની સિદ્ધિઓ માટે આગળ વધવું. શાસ્ત્રોની પણ આજ્ઞા છે કે – सम्प्रदाय विश्वासाभ्यां सर्वसिद्धिः । ...... વિવિશ્વ કુરઃ સિદ્ધિ ?' ' ઉપાસનામાં પ્રવૃત્ત થયા પછી ઉપાસકધર્મોનું પાલન અત્યાવશ્યક છે. તેમાં 1–ભાવનાની દૃઢતા, ર–નિંદાવૃત્તિનો અભાવ, ૩–અવિચલ શ્રદ્ધા, ૪–મિતભાપણું, પ–નિત્યાનુષ્ઠાનશીલતા. ૬-અપરિગ્રહિતા, હ-નિર્મળચિત્ત વગેરે “મંત્રવિજ્ઞાન” પૃ. ૧૫ થી ૧૦૮માં પ્રદર્શિત નિયમે સાથે તે તે મંત્રની આરાધના વખતે સૂચવેલા નિષેધ પ્રત્યે જાગરૂક રહેવાથી જ સિદ્ધિ મળે છે અને તે સુસ્થિર રહે છે. મર્યાદાઓનું પાલન ન થવાથી અનેકવિધ આપત્તિઓ આવવાનો સંભવ છે. જેમ કેએક સને મંત્ર છે, તે બિસ્મિલ્લાજીનો મંત્ર કહેવાય છે. એટલે તે મંત્રને દ્રષ્ટા, બિસ્મિલા નામે કેઈ મહાન ફકીર છે. આ મંત્રના સાધકે ગ્રહણકાળમાં કંઠ પ્રમાણે પાણીમાં ઊભા રહી લેબાન ધૂપ. આપવા સાથે જપ કરવો. બસ એટલે વિધિ થયો કે મંત્રસિદ્ધ થઈ . જાય છે. પછી જે વખતે સર્પ વડે દંશ પામેલાનું ઝેર ઉતારવું હોય ત્યારે તે વ્યક્તિને પહેલા કેઈ થાંભલાની સાથે બાંધેવી પડે છે, કેમ કે ઝેર ઉતારતી વખતે તે સર્પ તેના શરીરમાં આવે છે અને શુદ્ધ થઈ માંત્રિકને ડસવા પ્રયત્ન કરે છે. ઘણી વાર તેમ ન કરવાથી માંત્રિને ઘણું કટ વિવું પડ્યું છે. આ મંત્રના સાધકને ભેજનમાં અમુક . વસ્તુનો ત્યાગ રાખવો પડે છે. શેરડી આખી હોય તે ખવાય નહિં, કાકડી, મકઈવગેરે ઊભી ચીરીને ખવાય નહિ; અને રસ્તામાં આવતા પાણીના પ્રવાહને ઓળંગાય નહિ; એટલે પાણીમાં પગ મૂકીને જ આગળ વધવું પડે. અન્યથા તે સિદ્ધિ ચાલી જાય છે. આ રીતે લૌકિક
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy