SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતા અંગે કિચિત : કેટલાક કહે છે કે 1 ૧૩૧: જો દેવતાઓની ખરેખર હસ્તી હાય તા તે દેખાતા કેમ નથી ?” પરંતુ આ જગતમાં * < એક દૃશ્ય અને આંખેા વડે જોઈ i ' '' '; ' , એ પ્રકારની વસ્તુ રહેલી છે. બીજી અદૃશ્ય. તેમાં દૃશ્ય વસ્તુએ શકાય છે અને અદૃશ્ય વસ્તુએ આંખે વડે જોઈ શકાતી નથી; પણ તેમનાં કાર્યો વડે તેમની હસ્તી જાણી શકાય છે. વાયુ આમ નજરે દેખાતે નથી, પણ ધજા ફરફરવાઃ લાગે કે વૃક્ષની ડાળીએ ઊ’ચી-નીચી થવા લાગે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાય છે. ઇથર, વિદ્યુત્ વગેરે અદ્રશ્ય પદાર્થોનું પણું એમ જ છે. તેમની હસ્તીનુ પ્રમાણ તેમનાં કાર્યો વડે જ મળે છે. તે જ રીતે દેવતાઓની શરીરરચના સૂક્ષ્મ હોઈને તેઓ નજરે દેખાતા નથી, પણ તેમનાં કાર્યો વડે તેમની હસ્તી જાણી શકાય છે. આકાશવાણી, અદૃશ્ય અટ્ટહાસ્ય, કુમકુમ કે કેશરનાં છાંટણાં, પુષ્પસ ચાર, અંગસંચાર, પ્રશ્નકથન વગેરેના અનુભવ ઘણાને ઘણીવાર થયે છે અને તે જ દેવતાઓની હસ્તીનું મુખ્ય પ્રમાણ છે. ' C " ' ' '; કેટલાક કહે છે કે જો દેવતાઓની ખરેખર હસ્તી હાય, તે તેઓ કયાં રહે છે ? તે જણાવા’ પરંતુ આપણા શાસ્ત્રકારાએ તેના ઉત્તર વિસ્તારથી આપેલા છે, એટલુ જ નહિ, પણ તેમનાં ભિન્ન ભિન્ન સ્વરૂપે, કાર્યો વગેરે અંગે વર્ણન કર્યું છે, તે દેવતાઓ અ ંગે રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy