SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ * દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા ૧૧૧અંગ પર સ્થાપના કરવામાં આવે છે. આ અંગેના - પ્રતિનિધિ તરીકે અહીં: પાંચને નામનિર્દેશ કરવામાં આવે છે. તાલી વગાડીને અન્નાઇ ૫ર કહેવાનું પ્રજન કેઈપણ શસ્ત્ર વડે પિતાના શરીર પર મારણDગ થાય - તે તેને અટકાવવાનો છે. * આ ન્યાસ પણ મંત્રસાધનામાં અવશ્ય કરવાનું હોય છે. જ્યાં વિશિષ્ટ ન્યાસનો ઉલ્લેખ ન હોય, ત્યાં કરન્યાસ અને ષડંગન્યાસ અવશ્ય કરવામાં આવે છે. . (૩) ધ્યાદિન્યાસ–પ્રત્યેક મંત્રના પ્રત્યેક પદના અને પ્રત્યેક અક્ષરના અલગ અલગ ત્રાષિ, છંદ, દેવતા, - બીજ, શક્તિ અને કીલક હોય છે. મંત્રસિદ્ધિ માટે તેનું - જ્ઞાન, તેમને પ્રસાદ અને તેમની સહાય અપેક્ષિત છે. જે ષિએ ભગવાન શંકર પાસેથી મંત્ર પ્રાપ્ત કરીને તેની પહેલવહેલી સાધના કરી, એ તેના કષિ છે. તે ગુરુસ્થાનીય હોવાને કારણે મસ્તકમાં ધારણ કરવા ગ્ય છે. મંત્રના સ્વરવર્ણોની વિશિષ્ટ ગતિ, જેના દ્વારા મંત્રાર્થ અને મંત્રતાવ આછાદિત રહે છે, અને જેનું ઉચ્ચારણ મુખથી થાય છે, તે છંદ કહેવાય છે. તે મુખમાં ધારણ કરવા એગ્ય છે. મંત્રના દેવતા હૃદયનું ધન છે, એટલે તે હદયમાં ધારણ કરવા ચગ્ય છે. આ જ રીતે બીજ એ ગુા હોવાથી ગુદ્દા ભાગમાં ધારણ કરવા એગ્ય છે, સાધકની હલન-ચલનની શક્તિ બંને પગ પર નિર્ભર હોય છે, એટલે તે બંને પગમાં ધારણ કરવા એગ્ય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy