SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા ૧૦૯અપવિત્રતા ચાલુ રહે છે, ત્યાં સુધી તેના સ્પર્શ અને. મરણથી ચિત્તમાં ગ્લાનિને ઉદય થાય છે. પ્લાનિયુક્ત - ચિત્ત, પ્રસાદ અને ભાદ્રકથી શૂન્ય હોય છે. વિક્ષેપ અને. અવસાદથી આકાન્ત હોવાને લીધે તે વારંવાર પ્રમાદ અને. તંદ્રાથી અભિભૂત થાય છે. એ જ કારણ છે કે તે ન તે. એકધારું સ્મરણ કરી શકે છે કે ન વિધિ-વિધાનની સાથે. કઈ પણ કર્મનું સગપાંગ અનુષ્ઠાન કરી શકે છે. આ દેષ મટાડવા માટે ન્યાસ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શરીરના પ્રત્યેક અવયવમાં જે ક્રિયાશક્તિ સુષુપ્ત હોય છે, હૃદયના અંતરાલમાં જે ભાવના–શક્તિ મૂચ્છિત હોય છે, તેને. જગાડવા માટે ન્યાસ એ રામબાણ ઔષધિ છે. ન્યાસ એટલે સ્થાપન–સ્થાપના. બહાર અને અંદરનાં તમામ અંગેમાં દેવતા અને મંત્રની સ્થાપના કરવી,. એ ચાસકિયાનું મુખ્ય રહસ્ય છે. ' : ન્યાસની ક્રિયા અનેક પ્રકારની હોય છે. જેમકે– (૧) કરન્યાસ, (૨) પડંગન્યાસ, (૩) ઝષ્યાદિન્યાસ, (૪) માતૃકાન્યાસ, (૫) મંત્રન્યાસ, (૬) દેવતાન્યાસ, (૭). તત્વન્યાસ, (૮) વ્યાપકન્યાસ વગેરે. (૧) કરન્યાસ–હાથની બધી આંગળીઓના ટેરવાં. યુર જુદા જુદા મંત્રબીની સ્થાપના કરવી, તેમ જ કરતલ. અને કરyષ્ઠને પણ મંત્રબીથી વાસિત કરવા, તેને કરન્યાસ કહેવામાં આવે છે. કાંગુલિઓમાં પ્રથમ અંગૂઠા. પર, પછી તર્જની પર, પછી મધ્યમા પર, પછી અનામિકા.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy