SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 4 મંત્રદિવાકર વસ્તુ ઉલટા ક્રમને અનુસરવાથી જ બની શકે, એટલે ઉલટા ક્રમે દરેકનુ ચિંતન કરવુ જોઈએ અને તેમાં રહેલાં દરેક તત્ત્વ પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયાં છે, એવી ભાવના કરવી જોઈ એ. આ રીતે જ્યારે સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરની આ દિવ્યતા સપન્ન થાય, ત્યારે ૐ સે ' એ મંત્રથી પરમાત્માની પાસેથી જીવને હૃદયકમલમાં લઈ આવવા જોઈ એ કે હું પરમાત્માની સત્તા, શક્તિ, કૃપા, સાન્નિધ્ય અને સાયુજ્યના અનુભવ કરી પરમ પવિત્ર તથા દિવ્ય મની ગા છું, મારું શરીર પાપરહિત, નૂતન, નિલ અને ઈષ્ટદેવતાના આરાધનને ચેાગ્ય થઈ ગયું છે, એવી ભાવના કરવી જોઈ એ. તે પછી પ્રાણાયામ અને ન્યાસ કરી મંત્રદેવતાનુ પૂજન આર ભવું જોઈ એ. આ સિવાય ખીજી એક સ ́ક્ષિપ્ત ભૂતશુદ્ધિ પણ છે, તે આ પ્રમાણે : હૃદયમાં એક કમલ છે, એવુ મૂળ ધર્મ છે અને નાલ જ્ઞાન છે. આઠ પ્રકારનું ઐશ્વર્યાં એ એની પાંખડીએ છે અને પવૈરાગ્ય એ કણિકા છે. તે પ્રણવ દ્વારા ચમકી રહી છે. એ કર્ણિકા પર જીવાત્મા રહેલે છે. એવી ભાવના કરીને મૂલાધારચક્રમાં કુંડલિનીનું ચિંતન કરવું અને તે ત્યાંથી આવીને જીવાત્માને પેાતાના સુખમાં લે છે અને સુષુમણામાથી જઈ ને પરમાત્મામાં વિશ્વીન થઈ જાય છે; એવી ભાવના કરવી. ઘેાડીવાર આવી ભાવના કર્યાં પછી જીવાત્માને પા હૃદયમાં લઈ આવવે
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy