SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર કર્તવ્યને, ગુણનો, હોશિયારીને, " કે નિષ્પાપતાને સિક્કો મારવો એ ભવાભિનંદીનું બીજુ લક્ષણ. ત્રીજો | દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ સંપૂર્ણ જોઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તે પણ ટેવ રોદણાં રોવાની ! હંમેશનો અસંતોષ! ગમેતેટલું મળે, ગમે તેટલું સચવાય, તો પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તો જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની? કેઈનય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં ખોટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલાના સંતેષને બદલે ન મળ્યાનો ખટકે થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શેક કરે અને સુરે છે! ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીઓ અને ચાપલુસી કરે છે ! સદાને માગણિયે તે કૂતરાની જેમ દીન બની ચાટુ કરીને માગ–માગ કરવામાં એને શરમ નહિ પોતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, કુળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામા પરવશ બને છે સંસાર પિતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તો પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તો જડ પદાર્થોના સંયોગોમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે; તે પણ મહાદુઃખની ફેજ લાવનારા ! ત્યાં સુખની આશા શી ? જે આશા છેટી છે, તે ઈષ્ટ જડ–સંગ ઓછો ય મેળવ્યા પછી
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy