SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ]. ૪૯૯ માગભિમુખ, માર્ગ પતિત' વગેરે આત્માએ લેવા. અહિં “માર્ગ” શબ્દથી સમ્યકત્વ (જિનવચનની શ્રદ્ધા)ને પમાડનાર માર્ગ લે, એટલે કે વિશિષ્ટ ગુણસ્થાન(સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ કરાવવામાં તત્પર એ ઘાતી કર્મને અમુક ક્ષયોપશમ લે. - તેથી ચિત્તનું તત્વશ્રદ્ધા સન્મુખ જે સરળ ગમન નીપજે છે, એ માગ કહેવાય. એ માર્ગમાં પ્રવેશેલો તે માર્ગ પતિત, અને અને માર્ગ પ્રવેશને ચગ્ય બને તે માર્ગાભિમુખ. પ્રવર્તે કેમ ઓળખાય ? ઉ –એમના આચારવિચાર પરથી એ એાળખાય; જેમકે એ લીધેલી પ્રતિજ્ઞાને દઢપણે પાળનારા હોય છે. કદાચ એમાં ખલના થાય તે ગુરુસમક્ષ એના આલેચક–પ્રકાશક હોય, એમ વસ્તુતત્વના ચિંતક–પરીક્ષક હોય છે, ઘર સંસાર પર બહુમાન વિનાના હોય છે, ઈત્યાદિ. જ આવા જ જ જિનાજ્ઞા પામવાને ગ્ય હોય છે, પણ ભવાભિનંદી જ નહિ; કેમકે એ તે અપુનર્બન્ધક કરતાં ઘણી પાછલી દશામાં છે. ભવાભિનંદી જેને તે કઈ જિનવચન સંભળાવે, તો પણ તેથી, એમને એ માત્ર જડપુદ્ગલાનંદી, સંસાર રસિક અને મોક્ષની અરુચિવાળા તથા અસત્યાપ્રવૃત્તિમાં લીન હોઈને વિષયપ્રતિભાસ જ્ઞાન થાય છે. કિનનુ પરિણતિજ્ઞાન નહિ. એટલે કે દા. ત. ઈન્દ્રિયોના ઈટ વિષે આત્મઘાતક છે.” એવું જિનવચનથી માત્ર પ્રતિભાસ રૂપે જાણી શકે છે ખરા, પરંતુ એ જાણકારી એમના દિલને અસરકારક નથી બનતી, એ વિષયને દૃષ્ય તિરસ્કાર્ય તરીકે લગાડી શકતી નથી. એ લગાડે તે પરિણતિ જ્ઞાન કહેવાય.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy