SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અંધકારને લેઅને અવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળાહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિના વિષમ વિષમય મેહ–અજ્ઞાનના રાહે ચાલવામાં દુખ, દુર્દશા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્ઘ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે. એવી આત્માની વિકૃત અવસ્થાનો અંત તો જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ પ્રકાશના પંથે શાથી? – ઉચ્ચ પ્રકાશનો પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી પંચમૂત્ર નામના આ શાસ્ત્રમાં અદ્દભુત લેટિને બતાવ્યું છે. એના અનુસારે જે પિતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે” રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આતર સંવેદન થાય છે કે જાણે કેત્તર રાજમાર્ગો આત્મા કૂચ કરી રહ્યો હોય. પંચત્ર અજ્ઞાનના પંથેથી પાછા વાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખોલવા પ્રિોત્સાહન આપે છે. ' એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી સંવેગ વૈરાગ્યની પરિણતિ, આંતરદષ્ટિને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy