SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ [ પંચસૂત્ર-૫ - અનતું છે. અનન્તાનઃ સંખ્યામાં ત્રણે કાળના સમયનું દષ્ટાંત છે. તેથી જેમ સમયે પ્રત્યેક ક્ષણે વહી જાય છે, છતાં એ કદી ખૂટે એમ નથી; તેમ કદી ભવ્ય ખૂટે એમ નથી. અહીં પાછું એવું નથી કે વહી ગયેલ સમય પાછા આવતા હોય તેથી કાળ અખૂટ રહેતે હેય ! એ તો નવા નવા જ સમય આવે છે. કળ પાછા ન આવે – પ્ર-વહી ગયેલ કાળ પાછો ન આવે તો પછી એમ કેમ કહેવાય છે કે “ગયેલી ઋતુ પાછી આવે છે, ક્ષય પામેલે ચંદ્ર પુનઃ આવે છે, અર્થાત્ એક વાર શુકલ પક્ષ વીત્યા પછી પણ કૃષ્ણ પક્ષ પૂરા થયે ફરી શુકલ પક્ષ આવે છે, પરંતુ વહી ગયેલું નદીનું પાછું કે માણસનું આયુષ્ય પાછું ફરતું નથી.” ઉ૦-અહીં છતુ વગેરે સમયનું પાછું આવવાનું કહ્યું, તે વ્યવહારમાત્રથી સમજવું. અર્થાત્ નિશ્ચયથી યાને વસ્તુસ્થિતિએ તે બીજે ન જ તુકાળ આવે છે, પણ જૂને નહિ. કેમકે નિશ્ચયથી પણ જે એને એ જ કાળ પાછા ફરતે હેય, તે તે બાલ્યકાળ વગેરે નિવૃત્ત જ ન થાય અર્થાત્ બાલ્યાદિ અવસ્થા ચાલ્યા જ કરવી જોઈએ, કારણ કે, પક્ષ વગેરે કાળને સ્વભાવ જ બાલ્યાદિ અવસ્થા કરવાનું છે. હવે જો કાળ એને એજ રહે પણ ફરે નહિ, તે એ અવસ્થા પણ ન ફરી શકે, કિંતુ એની એજ રહે ! ભ ન ખટે એમાં દલીલ અને આગમ – ટૂંકમાં, કાળ ફરે છે, ચાલુ કાળ વહી જાય છે, અને ન આવે છે; છતાં કાળ ખૂટતું નથી. તેમ ભળે પણ મોક્ષે જવા છતાં ખૂટતા નથી. કાળ અનાદિ; એમ સિદ્ધ થવાનું અનાદિ આવે છેકાળ ફરે એમાં દલીલ .
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy