SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ४८१ [પંચસૂત્રલઈને સહજભાવે લેકના અંતે ગમન થાય છે, પૂર્વે પ્રયોગથી એટલે કે સૌથી હલકે હાઈ જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળ હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વે લાગેલ કર્મનો પ્રતિબંધ દૂર થતાં જ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશ૬ ગતિએ ઉપર જાય છે. પ્ર–ત્યાંથી પાછું નીચે આવવું, પાછુ ઉપર જવું, એમ વારંવાર ગમનાગમન કેમ નથી થતું ? ઉ૦-એજ તુંબડાના દષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ એક જ સમયમાં એકજવાર ઠેઠ ઉપર જવાનું, વગેરે નિયમ સચવાય છે. પ્રવે-અહીંથી સાત રાજલક જેટલે ઊંચે એક જ સમયમાં જવાનું શું કમળની સો પાંખડી એક સાથે વધી જનાર ભાલાના દષ્ટાંતે બનતું હશે? ઉ૦-ના, ભાલે તે પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એક જ સમયમાં કાન્ત જે પહોંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડક્યા વિના પહેચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે. પ્ર-વચમાં થઈને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ બને ? ઉ–ગમનમાં ખાસ ઉત્કર્ષથી આમ બની શકે છે જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ટ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઊંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy