SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૫૫ સર્વ અર્થોની પ્રાપ્તિમાં, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવામાં જે સુખ નથી, તેથી અનંતગણું સુખ ભાવશત્રુભૂત રાગાદિના ભયમાં, ભાવરોગભૂત કર્મને નાશમાં, ભાવોપકારભૂત શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિની પ્રાપ્તિમાં અને અનિચ્છાની ઈચ્છા પૂર્ણ થવામાં છે. આ ઉપરથી સમજાય એવું છે કે આને અનુભવ કેણ કરી શકે? સમજવા માટે ય આ એટલી સૂક્ષ્મ વસ્તુ છે, એટલું બધું સૂક્ષમ તવ છે, કે જેવા તેવાથી એ યથાર્થ પણે નહિ સમજાય. એને વાસ્તવિક ખ્યાલ બીજા અસિદ્ધને એટલે કે મુક્ત નહિ એવા સંસારી જીવને ન આવે. જેમકે યતિ યતિપણાના પાલનથી જે આનંદ અનુભવે છે, તે પ્રહસ્થ નહિ અનુભવી શકે; અને ભેગલંપટ તે સમજી ય ન શકે, પછી અનુભવી તે શું ય શકે ? સંયમને આનંદ અસંયમીને ક્યાથી હોય ? કેમકે એ આનંદના અનુભવ માટે અસંયમનો ત્યાગ અને વિશિષ્ટ એ ચારિત્રમોહનીય કર્મને ચોપશમ જોઈએ. એ માત્ર વેષધારીને ચાલનાર યતિને ય નહિ થાય. એમ આરોગ્યને આનંદ રોગીને થઈ શકતો નથી. સન્નિપાતને દદી સંનિપાત વિનાની નિરોગી સ્વસ્થતાથી તે આનંદ ક્યાંથી અનુભવે ? કે સમજી શકે? એમ ભાવશત્રુ-રાગાદિમાં આનંદિત રહેનારે એના ક્ષયથી થતું સુખ શું સમજે? તે તે જિન વીતરાગ જ જાણે એટલે આ તે યતિ–અયતિ, નીરગીરોગી વગેરે જગતના દષ્ટાંતથી સિદ્ધસુખની વિભાષા થઈ, તુલ્ય પરિભાષા, આછી વિવેચના માત્ર થઈ. બાકી એની ઉપમા નહિ મળે કેમકે સિદ્ધ ભગવ તનું સુખ સ્વરૂપે સર્વથા અચિત્ય છે. તે એટલા માટે કે આપણી પાસે જે મતિજ્ઞાન છે. તેને એ વિષય નથી. ગમે તેવા સૂક્ષ્મ ચિંતનથી પણ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy