SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ [પંચસૂત્ર-૪ એના પ્રભાવે પરના પણ એકાંત સર્વ હિતનું નિમિત્ત બને છે. સાધક અહી મહાત્માઓને ઉચિત સઘળું કર્તવ્ય પૂર્ણ કરે છે, અને પછી વર્તમાનમાં બંધાતી કર્મરજને, અને પૂર્વે સંગ્રહેલ કર્મમળને દૂર કરી આત્મા વ્યવહારથી કમશઃ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત થાય છે, તેમજ સર્વ દુઃખને અંત કરે છે. નિશ્ચયનયથી તે આત્મા સદા નિરજન નિરાકાર છે, પણ વ્યવહારથી કર્મવાળે અને દુઃખી છે, તેથી વ્યવહારથી એને છેડાવવો રહ્યો. “સિદ્ધ થાય છે એટલે, સામાન્યથી અણિમા લઘિમાદિ લબ્ધિઓનું આશ્વર્ય મેળવે છે. બુદ્ધ એટલે કેવળ જ્ઞાનવાળા અર્થાત્ સર્વજ્ઞ. “સુક્ત” એટલે ભવમાં પકડી રાખનાર અઘાતી કર્મોથી રહિત અને પરિનિર્વેત એટલે સર્વથા કર્મથી બની હવે ભવિષ્યના સર્વકાળમાં હંમેશને માટે દુઃખને અંત કરે છે. સિદ્ધ વગેરે પદોને બીજો અર્થ એ છે, કે એ “સિદ્ધ થાય છે એટલે સર્વ કાર્યને સમાપ્ત કરે છે; “બુદ્ધ થાય છે એટલે અપ્રતિહત અન ત જ્ઞાનથી જ્ઞાની બને છે, “મુક્ત થાય છે એટલે સકલ કર્મથી મૂકાય છે; અને “પરિનિર્વાણ પામે છે એટલે સર્વસુખની પ્રાપ્તિ કરે છે. એ રીતે, સર્વદુઓને અંત કરે છે. સર્વનું આ નિશ્ચિત પરિણામ કર્યું. બીજા નિશ્ચય નયના અભિપ્રાયનું નિરાકરણ કરવા આ આમ કહ્યું, કેમકે નિશ્ચય નથી તો આત્મા સદા સચ્ચિદાનંદપૂર્ણ છે જ, તો તેને સિદ્ધ બુદ્ધ વગેરે થવાનું હતું નથી. પરંતુ વ્યવહારથી જીવ અસિદ્ધ-અબુદ્ધ વગેરેમાંથી સિદ્ધ બુદ્ધ વગેરે બને છે. - -: સૂત્ર ચોથું સમાપ્ત :
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy