SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ [ પંચસૂત્ર-૪ પિતાથી હીન, અધિક, કે હરિફ પ્રત્યે તિરસ્કાર ઈર્ષ્યા કે ખાર રાખ્યા વિના, કમસર કરુણા, પ્રમોદ અને પ્રેમવાળે, વળી કૃતજ્ઞ ચાને કોઈના લીધેલા ઉપકારની કદર કરનારે સત્ કાયમાં ઉદ્યોગી, (અસતમાં નહિ), અને કલ્યાણની પરંપરાવાળે છે. આમાં આત્મા “શુકૂલ એટલે કે ઉજવળ સંયમભાવવાળા બને એમ કહ્યું, ને એ ઉજજવળતાનાં પાંચ લક્ષણ બતાવ્યા, એ સૂચવે છે કેઆત્માએ અનાદિસિદ્ધ “કૃષ્ણ મટી “શુક્લ બનવા (૧) ચારિત્ર–મહાવ્રત–પ્રતિજ્ઞાઓનું પાલન અખંડ રાખવું જોઈએ. અહિંસાદિ વ્રતને ક્યાંય ખોડખાંપણ લગાડવાનું થાય એમાં આત્મપરિણામ કણ બને છે, તામસભાવ કામ કરી જાય છે. કૃષ્ણભાવ બે રીતે,-એક તે હિંસા-અસત્યાદિના ભાવ થાય તે, ને બીજું પ્રતિજ્ઞાપાલનની બેપરવા થાય છે. એથી બચવા વૃત્ત ચારિત્ર-વ્રત–આચાર અખંડ વિશુદ્ધ રાખવા જોઈએ. (૨) અમત્સરી બન્યા રહેવું.કદી ય માત્સર્ય, અસૂયા, પરગુણ-પરવૈભવ–પરકીતિની અસહિષ્ણુતા, ઈર્ષા, ખાર, ઝેર, વગેરે મનમાં ઊઠવા જ ન દેવા સ્વંય અખંડ ચારિત્ર પાલન હોવા છતા જગતની વચ્ચે રહેતાં બીજાઓના સંગ સામે ઊભા હોય છે. દા. ત. પિતાના કરતાં બીજે વધુ વિદ્વાન હય, તપસ્વી હોય, વ્યાખ્યાતા હોય, શિષ્ય પરિવારાદિસંપન્ન હોય, ત્યાં ઈર્ષ્યા, અને હિષ્ણુભાવ આવા સંભવ છે એ ચારિત્રને વાસ્તવિક ભાવ જે કષાયને ક્ષપશમ છે, તેનો નાશ કરે છે. પણ પૂર્વોક્ત સમ શમિત્રભાવાદિ, સૂત્રાશ્ચયન, ગુરુ બહુમાનાદિની આરાધનાથી પ્રથમ વધારતાં એ માત્સર્ય રોકી શકાય છે. સુ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy