SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ [ પંચસૂત્ર-૪ ભાવના, મેહમાયાકષાયને ત્યાગ, ધર્મશુકલધ્યાન વગેરેને જ્ઞાન દવે એવા બતાવી આપે છે, કે પછી તે માત્ર અપકાળના પ્રબળ પુરૂષાર્થની જ જરૂર, અસ્થિરમાંથી સ્થિરમાં (૯) નવ્યજીવનાના ૯ ઉપાય ? આવા દીપ અને દીવાને પામી, તરતા દીપમાંથી સ્થિર દીપમાં જવાનું છે અસ્થિર દીવામાંથી સ્થિર દીવો મેળવવાને છે. જવાનુ કેવી રીતે બને ? શુભ ભાવનાઓ અને શુકલધ્યાનની ફલાંગ મારીને ક્ષાયિક ચારિત્ર અને સર્વજ્ઞતામાં પહોંચાય એટલે બને, અસ્થિર દીવામાંથી સ્થિર દો કેવી રીતે મેળવાય! અસ્થિર દીવાની જેમ લાપશમિક સમ્યક્ત્વવાળી અનિત્ય જ્ઞાનદીવડાની વાટ, તેલ, વગેરેની સામગ્રીને જોરદાર અને અક્ષય કરી નાખે. સમ્યક્ત્વને સડસઠ પ્રકારને વ્યવહાર જોરદાર બનાવી દે, તવભાવનાના વેગને વધારી દર્શનસપ્તક ખડવાની ક્ષપકશ્રેણી લગાવે, તે ક્ષાયિક સમ્યક્ત્વ થાય ક્ષાપશસિક ધર્મોનું પાલન બહુધા શાસાવચન, ગુરુદાક્ષિણ્ય, કલજજા, કર્મવિપાકના ડર વગેરેના આલંબને ચાલે છે જેમકે “ભાઈ! શાસ્ત્ર આમ ફરમાવે છે, માટે આપણે એમ જ ચાલે, નહિતર આજ્ઞાના ઉલ્લંઘનની સજા ભારે થશે ! ગુરુમહારાજ જુએ કે જાણે તો ઠપકે આપે માટે એમ ન વર્તવું, લાક જેશે તે ખરાબ કહેશે, એના બદલે સ્વભાવથી પાળે. હવે જે ક્ષાપશમિકમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે, નિત્ય નવીન તું જીવન પ્રાપ્ત કરવું છે તે આ નવ ઉપાય અમલમાં ઉતારે, (1)પહેલું તો જિનાજ્ઞાએ નિષિદ્ધનો-હેયનો ત્યાગ અને, વિહિતનું-ઉપાદેયનું સેવન સ્વભાવગત બનાવવા મથવાનું.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy