SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ [પચસૂત્ર આશ્વાસન રૂપ છે, તેમ ભવરૂપી સાગરમાં પડેલાને ચારિત્ર બેટ આશ્વાસન દ્વીપ છે. અહિં દ્વીપ વિના સમુદ્રમાં કેવી કેવી આપદાઓ છે તે વર્ણવી, તેની સાથે ચારિત્ર વિનાના સંસાર સમુદ્રની આપદાઓ સાથે સરખાવવામાં આવશે અને ચારિત્રના લાભ બતાવાશે. જ્ઞાન–દીવા વિના સંસાર-અરણ્યમાંની વિકટ સ્થિતિનું પણ એ પ્રમાણે (૧) દ્વીપ વિના કેવાં કષ્ટ ! * ૧ ચારિત્ર-દ્વીપની કિંમત સમજના અને ગરજવાળે વિચારે છે, કે ધારે કે કેઈ માણસ દરિયામાં ડૂબતું હતું, તરી જવા તરફડી મારતો હતો, ત્યારે બીજી બાજુ દરિયામાં રહેલા વિકરાળ જળચર પ્રાણુઓ એને આખે ને આખે ગળી હાઈયાં કરી જવા મથતા હતા. ત્યાં જે દ્વીપ મળી ગયે તે એને લાગે કે “અહે! આ દ્વીપ એમાંથી કે બચાવી લેનારો! (૨) “વળી દરિયામાં ભૂખે ને તરસે મરી જાત. ખાવા માટે અને પીવા માટે ઠંડું તે નહિ, ઉના ય મીઠા પાણીનું એકાદ ચાંગળું ય ક્યાં હતુ ? ઉલટું એવું ખારું પાણી હતું જેથી શરીર ખવાઈ—કહેવાઈ જાય, પછી મહા વેદનાઓ ઊઠે! એને સંભાળનાર પણ કેણ? ત્યાં દ્વીપ મળતાં લાગે કે અહ! ત્યારે આ દ્વીપે મને કે ઉદ્ધ! (૩) “દરિયામાં ડૂબેલે હતો, ત્યારે ઘડીકમાં ઉપર અને ઘડીકમાં ઠેઠ સાગરને તળીએ! કયાં ય સ્થિરતા કે સ્વસ્થતા ન મળે એમાં ય શક્તિહીન અને મૂચ્છિત થઈ જતાં સમુદ્રના ઘેરા પાણીમાં નીચે કાયમને માટે દફનાઈ જવાનું! દ્વીપ-પ્રાપ્તિ પર મનને થાય કે-ત્યારે આ દ્વીપમાં કેવી સરસ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy