SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ [પંચસૂત્ર-૪ સર્વથા નિત્યત્વ કે ક્ષણિક, આત્માનું દ્રવ્યથી જગ૬ વ્યાપિત્વ, હિંસક ચપ્સ વગેરે એ સ્વર્ગના સાધને–આ બધાં અતત્વ છે, અસત્ય છે. તેમજ અતત્વ એટલે તુચ્છ પદાર્થો, કુત્સિત વસ્તુ, આત્મઘાતક તો; જેમકે તત્વભૂત દાન-શીલતપની અપેક્ષાએ પરિગ્રહ-વિષય–અને આહાર એ અતત્ત્વ છે. આત્મજ્ઞાનની સામે જડવિજ્ઞાન અતત્વ છે, પરોપકાર આગળ સ્વાર્થ–સાધના અતત્ત્વ છે. અહિં સા–સંચમાદિ ધર્મસ્થાનકેની સામે પાપસ્થાનક અતત્ત્વ છે જ્ઞાન–ક્ષમાદિ ક્ષાપશમિક ધર્મો આગળ યશસૌભાગ્યાદિ, રસ-ઋદ્ધિ-શાતા વગેરે ઔદયિક ધર્મો અતત્ત્વ છે. આત્મપ્રગતિની જાંચ - હવે એ અતત્વને અવગણું તને ચિંતક, પૂજક, પક્ષપાતી અને ઉપાસક બને. જેમકે આત્માની અપેક્ષાએ દેહ અતત્વ છે. તેથી તે દેહને ભૂલી આત્માને જ જોનારો હોય, આત્મામાં કેટલી શુદ્ધિ અને પ્રગતિ થઈ? એના વિશુદ્ધ જ્ઞાનદર્શન–ચારિત્રના પર્યાય કેટલા વધ્યા? શુભડ્યાન કેટલું લાગ્યું? તપસ્યા કેટલી કરી? આત્મા હળુકમી કેટલે બને? દેહ તે અવસ્વ છે, સ્વય પાયમાલ થનારું અને બીજાને પાયમાલ કરનારું છે. તેની બહુ ટાપટીપ શી ? તે સુકાઈ જાય અગર જાડું થાય તે પણ શું ? દેહને મરામતમાં નિજના જ આત્મવિકાસને રૂછી નાખવાની મૂર્ખાઈ ક્યાં સુધી? અતો તે અલ્પકાલે નાશ પામી જશે; પણ એની ઘેલછામાં ઊભા કરેલા દુઃખ અને દુષ્ટ વાસનાઓ ચિરકાળ સુધી પણ નાશ ન પામતાં મારા જ આત્માને હેરાન કરશે. તે શું અસુંદરત પાછળ મારા સુંદર આમાને ગુમાવી
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy