SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયા પરિપાલન ] ૩૩૧ સુધી તે વીતરાગતાને એ અટકાવે, પ્રતિબંધ કરે. પ્રતિબંધકને કારણ કેમ કહેવાય? પ્ર–તે પછી જિનભક્તિ વગેરે પ્રીતિ-ભક્તિ-અનુષ્ઠાનો તથા શુદ્ધ જિનાજ્ઞાની મમતાથી થતાં વચનાનુષ્ઠાન કેમ આરાધવાનાં કહ્યાં છે ? ઉ૦-એ આરાધવાનું વ્યવહારનયથી જરૂરી છે. એનું કારણ એ છે કે વિતરાગ બનવું છે તે સર્વથા રોચ્છેદ કર. જોઈશે. પરંતુ જીવને ઈન્દ્રિયવિષયે–પૈસા-પરિવાર વગેરે પર એટલા બધા ગાઢ રાગના સંસ્કાર વળગેલા છે કે એથી એ રાગ એમ હટે એવું નથી. એના માટે તે પહેલાં શ્રી વીતરાગ પ્રભુ, નિગ્રંથ ગુરુ દયા–દાનાદિ ધર્મ, જિનાગમ, તીર્થો વગેરે પર રાગ જમાવાય, તો પછી એમનાં આકર્ષણ અને ઉપાસનામાં પેલા અશુભ સ્થાનેના પરિચય ઘટે, પ્રવૃત્તિ ઘટે, આકર્ષણ ઘટે. એમ કરતા કરતાં એના રાગ ઓછા થતા આવે, અને એક ધન્ય ઘડીએ એને સંપૂર્ણ નાશ થઈ પ્રશસ્ત સ્થાને દેવાધિદેવાદિમાં તન્મયતા વધી જતા રાગને બદલે હૃદયની એકાકારતા થવાથી અનાસંગ વેગ અનાસક્ત દશા આવીને ઊભી રહે. પછી વીતરાગ બનતાં વાર નહિ આમ મૂળ પાયામાં શુભ રાગના પ્રીતિ–ભક્તિવચનાનુષ્ઠાન ખૂબ આરાધાય તે જ અસગાનુષ્ઠાને પહોંચાય છે, માટે એ જરૂરી છે, નિરુપયેગી નથી. પ્રવર્તે પછી નિશ્ચયનય કેમ એને ઉપાય માનતે નથી? ' ઉ૦-નિશ્ચયનય સૂક્ષ્મતાએ વસ્તુ જુએ છે, તેથી કાર્ય અવશ્ય ઉત્પન્ન કરે એને જ કારણ કહે છે. નિશ્ચયની આ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy