SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સાથે વિધિ ન સાચવી. અથવા જેમ ઘરમાં કંકાસ કરી કોઈ સાથે રગડી, ઝગડીને મંદિરે પૂજા કરવા આવે, દેખાવમાં પૂજા સારી કરે, કૂલ વગેરે. સારા ચઢાવે, પરંતુ ત્યાં ગૃહફલેશના વિચારો આવ્યા કરે, ક્રિયા ભલે ને કાયાથી થતી હોય, પરંતુ મને તો આર્ત રૌદ્ર ધ્યાનમાં જ હોય છે તેથી પૂજાને ઉત્તમ પણ આચાર હૃદયને શી શાનિ અને શો શુભભાવ આપે? તે પ્રમાણે પૂર્વોક્ત આગમગ્રહણ વગેરે જે વિધિ વિનાનું પ્રવર્તતું હોય તો તે શુભભાવ ન જગાવવાથી ભાવમંગળ ન બની શકે. વ્યવહારમાં જેટલી શુદ્ધિ, તેટલા પ્રમાણમાં ધર્મસ્થાને ઊંચા વ્યવહારમાં જેટલા શુદ્ધ ભાવે, શુદ્ધ પરિણતિ, તેટલા જ ધર્મના શુદ્ધ અધ્યવસાયે, તેટલી જ ધર્મની સુંદર આરાધના. વ્યવહારમાં જેટલી અશુદ્ધિ, તેટલી જ અહીં પોકળતા. માટે તે સંસારી જીવે ચારિત્ર સુધીના મહાવ્રતો ય અનંતીવાર લીધા છતાં આજ્ઞા–ભાવન, લેકવિરુદત્યાગ વગેરે વિધિપાલન વિના એ નિષ્ફળ ગયા, ભાવમંગળરૂપ ન થયા ત્યારે, અર્જુન માળીના પ્રતિબંધક સુદર્શન શ્રાવકને શ્રાવકનાં અણુવ્રત પણ આજ્ઞા-ભાવન આદિ વિધિ યાને વ્યવહારશુદ્ધિપૂર્વકના હતા, તે એ ભાવમંગળરૂપ થયાં. ભાવમંગળતા એવી થઈ કે એણે આત્મા પર શુભ અધ્યવસાયનું ઓજસ મહેકાબુ-મઘમઘાવ્યુ ! જેના પ્રભાવે મારવા આવતા અર્જુનમાળીના શરીરમાંથી જક્ષને નિસ્તેજ બની ભાગી જવું પડયું ! એવી રીતે નાગકેતુ શ્રાવકને પણ વિવિપૂર્વકનાં વ્રત પાલને એવું ભાવમંગળ થયુ કે એના પ્રભાવે રાજા અને આખા નગર પર શિલા વિકુવને વિધ્વંસ કરવાને ઉપદ્રવ કરનાર વ્યંતર પણ અંજાઈ ગયે, અને શિલા સંહરી નાગકેતુના ચરણે આવી નમી પડયો !
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy