SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ માથે ધર્યાની જવાબદારીને ખ્યાલ અને ૪. પિતાને વ્રતનિયમાદિ ધર્મસ્થાનની જવાબદારીને ખ્યાલ માણસને પતન પામવા નહિ દે; બલકે ઊંચે ચડાવશે. “ધર્મ રત્નપ્રકરણ” શાસ્ત્રમાં આ જાત કુળ અને ગુરૂના ખ્યાલ પર એક પ્રસંગ છે. g બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે ભણતા અંષિને તથા રુદ્રકને ગુરુએ જંગલમાંથી લાકડાં લઈ આવવા કહ્યું. અંગષિને સૂકાં લાકડાં જલદી મળ્યાં નહિ, એટલામાં રુદ્રક લહેરથી ફરી પછી લાકડાં લઈ જતી એક ડોશીને મારી નાખી ઝટપટ એને લાકડાં લઈ આવી ગુરૂને કહે છે, “પેલે અંગર્ષિ તે નદીએ રખડતે હતો. ભાઈબંધ હવે એક ડોશી બિચારીને મારી એનાં લાકડાં લઈને આવે છે. ગુરુ ગુસ્સે થયા. એટલામાં અંગષિ આવ્યો; એને ગુરુ ગુસ્સામાં કહે, “નાલાયક ! આ રીતે લાકડાં લાવવાના ? કાળમુખા! જ ચાલી જા અહીંથી. મને તારું મેં ન બતાવીશ.” અહીં અંગર્ષિ ગુસ્સાને ખુલાસો મળવાનું અને પિતાનું નિવેદન કરવાનું મુશ્કેલ જાણે ત્યાંથી નીકળી ગયે. વનમાં જઈ શોકમાં આલેચન કરે છે, “અહ આ શું? ચંદ્રમામાંથી અંગાર–વૃષ્ટિ ? ગુરુ મારા ચંદ્ર જેવા સૌમ્ય છે. એ એમજ ગુસ્સે થાય નહિ. ત્યારે હું ક્યાં ભૂલ્યા ? હું કોણ? આવા ઉત્તમ ગુરુને વિદ્યાર્થી ? ને મેં આવા ગુરુને દુઃખ કરાવ્યું? કે હું અધન્ય!” બસ એ અન્વેષણ–ચિંતનમાં આગળ વધતાં વધતાં ઠેઠ અનાસક્ત ચાગમાં ચડી કેવળજ્ઞાન પામી ગયા! દેવોએ મહિમા કર્યો, ગુરુ સ્તબ્ધ ! અને રુદ્રકને દેવોએ ખુલ્લે પાડો! શ્રાવકધર્મના વ્રત નિયમ–આચાર પાળતાં આ સ્મરણ વારંવાર રહ્યા કરે કે “હું અમુક, મારું કુળ ખાનદાન, મારા
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy