SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી પચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કે નથી ઓળખાતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહોંચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ૫ ચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપગિતા અને ગભીરતા સૂચવે છે આ વિવેચનને આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે ગ્રથનુ નામ ટીકાકારના અનુસારે પચસૂત્રક, અને ઉપાર શ્રી યશોવિજયજી મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પચસૂત્રી એવુ નામ મળે છે, છતાં ચાલુ વ્યવહાર પચત્ર એવું નામ રાખ્યું છે આ પચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલા છે આમ નિર્મલ શ્રદ્ધાબેલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણું અને પ્રકારે છે, મેહ અજ્ઞાનના અધત્વ મિટાવવા દિવ્ય આ જન છે, દુર્યાન અને ચિતાની દાહક જ્વાળાઓ શમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે માનસિક ઉદ્વેગ અને વિદ્વતાની નાગચૂડમાથી છોડાવનાર મત્રો છે દીનતા લુકતાદિ દૂષણે કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધ છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ છે ટૂંકમા પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અ તારાભામાં દબાઈ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અને માર્ગદર્શન એ દ્વારા સૂત્રકારે આપણા પર અને તે ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિને, ઉચ્ચ ભાવના–ધ્યાન અને આત્મરમણતાના અભિલાવીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી તેથી આ ગ્રથના પદે પદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવુ જોઈએ અહિં નીચે મૂળ ચની અતિ ટૂંકી રૂપરેખા દેરી છે પરંતુ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy