SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા કરતા હશે? પૂજા બે પ્રકારે થાય.—(૧) લાલચ, સ્વાર્થ, પરાધીનતા અગર બીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણના બહુમાનથી, અને ગુણ મેળવવા માટે પૂજા, આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઈદ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસંય કાળ સુધી પૌગલિક સુખનો પાર નથી, તેવા ઈદ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માના અનંતાનંત ઉપકાર અને ગુણનાં બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી બનવા માટે. જ્યારે ઈદ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને કઈ આશાથી પૂજવા? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના અને ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવે અને તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઈન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઈન્દ્રની ઋદ્ધિ મેળવવા નહિ. જે માનવભવ ઈન્દ્રને વર્તમાનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે! અને આપણે? આપણને મનુષ્ય–ભવ મળે છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની આપણને પરવા નથી, કે ભાન નથી! મનુષ્ય ભવ ફક્ત (1) તુચ્છ વિષને કેળવવામાં, (n) કંગાળ કષાયને પાર ચડાવવામાં અને (iii) સ્વર્ગના રસ-દ્ધિ-શાતા કરતાં રદ્દી એવા રસ, ઋદ્ધિ અને શાતાની જાળમાં ગુ થાઈ જવામાં પસાર કરીએ છીએ !!! ખૂબી જુએ, ઈન્દ્ર જે મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુને પૂજક બને છે, છતાં ઈન્દ્રની પૂજા અધૂરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સર્વવિરતિ–ચારિત્રની આજ્ઞાને અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂ ભગવંતની આજ્ઞા સર્વાશે અમલમાં મૂકવી છે. તે સર્વવિરતિ ચારિત્રના પાલનથી થાય.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy