SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખોટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર–અલગ કરી રહ્યો છે, અને આત્માને દેષમાં ડુબાડી રહ્યો છે. માટે મોહનો ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.” (૨) સર્વજ્ઞ –પ્રભુના પહેલા વિશેષણ વીતરાગની વાત થઈ. પરમાત્માનું બીજુ વિશેષણ સર્વજ્ઞ. એમાં જ્ઞાનાતિશય સૂચવ્યું. સર્વજ્ઞ એટલે અનંત કેવળજ્ઞાનવાળા. સર્વજ્ઞ, એટલે વિશ્વના સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંત દ્રવ્યના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનેલા, બનતા, બનનારા સર્વ અનંતાનંત ભાવો પર્યાયે (અવસ્થાઓ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જેનારા અને જાણનારાત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાયે અને સર્વ જીવ ઉપરના ભાવ અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનને પ્રકાશ જબરદસ્ત ! એમા અનંતાનંત કાળની કોઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ જ સેય વસ્તુને જણાવવાનો. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંધવામાં નિયમ છે કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશસ્વભાવ એ કે જેનું નામ ય, તેને જાણે. પછી ભલે તે અનંત કાળ પૂર્વના છે કે પછીના; અને અનંતાનંત સંખ્યામાં હે; રૂપી હો યા અરૂપી, બધાં જ 3ય ત્યાં જણાય, કેવળજ્ઞાન વર્તમાનભૂત-ભવિષ્ય સર્વકાળના સમસ્ત ય પ્રત્યક્ષ જુએ, કેઈ પ્રસંગ કે કોઈ સ્થિતિ છૂપી નહિ. (૩) ઈદ્રોથી પૂજય કેમ? અરિહંત પરમાત્માનું ત્રીજુ વિશેષણ “દેવેન્દ્ર-પૂજિત”. એમાં પૂજાતિશય સૂચવ્યું. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy