SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ–૧. વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩. દેવ પૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી, એવા ભુવનના ગુરુ. આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈ એ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા (૧) વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારું મોહનીય કર્મ. તે જ પ્રમાણે આત્માને કઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારું કર્મ તે શ્રેષ. તેમજ અજ્ઞાન–મિથ્યાજ્ઞાનના પરિણામ જગાવનારું કર્મ તે મેહ, ટીકામાં “રાગ વેદનીય કર્મ ” એ પદ , તેને અર્થ રાગરૂપે વેદના એટલે ભેગવવા યોગ્ય કર્મ એ સમજ. રાપદિ પદોને અર્થ, રાગ–મેહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામો લઈ શકાય. આ રાગદ્વેષ–મેહથી અત્યંત રહિત તે વીતરાગ. મોહને જેમણે આત્માની અંદર દબાવી તેને ઉદય સંપૂર્ણ રોક્યો છે, એવા ઉપશાંત–મેહી પણ વીતરાગ હોય છે, જ્યારે અહીં તો સર્વથા ક્ષીણમેહી અને છસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે. (૨) “સર્વજ્ઞ”એ વિશેષણ મૂકયું. “સર્વજ્ઞ એટલે ભૂત,ભવિષ્ય, વર્તમાન–એ સર્વકાળના સર્વ દ્રવ્યને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્ત-શાસાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તો સરાગ છે, તેથી અહીં સર્વજ્ઞની સાથે “વીતરાગ” એ વિશેષણ મૂકયું. (૩) વીતરાગ-સર્વજ્ઞ તો સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy