SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લઘુ રચનાઓ સમાવેશ પર્વના દિવસોની પ્રતિકમણાદિ ક્રિયામાં પણ કરવામાં આવ્યો છે અને પ્રાત સમરણીય નવસ્મરણમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. મહર્ષિ નદિષેણની આ રચના કાવ્યગુણથી પણ એટલી બધી સભર, સમૃદ્ધ છે કે એના અનુકરણ કે અનુસરણરૂપે “અજિત શાંતિ સ્તવ” નામની રચના કરવાનું અન્ય અનુગામી કવિઓને મન થયા વગર રહે નહીં. આ તેત્ર ઉપરથી શ્રી વીરગણિએ અપભ્રંશ ગાથામાં “લઘુ અજિત શાંતિ સ્તવની રચના કરી છે. શ્રી જિનવલલભગણિએ પણ “લઘુ અજિત શાંતિસ્તવ નામની પ્રાકૃતમાં સત્તર ગાથાની રચના કરી છે. શ્રી ધર્મશેષગણિએ પ્રાકૃતમાં સત્તર ગાથાની મંત્રગર્ભિત રચના કરી છે. શ્રી ઉપાધ્યાય મેરુનંદન કવિએ પણ “અજિત શાંતિ સ્તવની રચના કરી છે અને તેવી રીતે શ્રી જ્યશેખરસૂરિએ સંસ્કૃત ભાષામાં સત્તર લેકની “બહજિત શાંતિ રતવ' નામની રચના કરી છે. શ્રી જયશેખરસૂરિએ અજિત શાંતિ સ્તવને આરંભ નીચેના બે લેકથી કર્યો છે. તે દરેકમાં અનુક્રમે અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કર્યો છે. सकलसुख निवहदानाय सुरपादपं । पादपंकजनतानेकनाकाधिपम् ॥ अचलशिव निलयमप्रलय गुणशोभितम् । नौमि जिनमजितमहमजितमुदितो दितम ॥१॥ [સવ સુખના સમૂહને આપવામાં જે કલ્પવૃક્ષ સમાન છે, જેમના ચરણકમળમાં અનેક ઇતો નમેલા છે, જેમને અચલ મેક્ષમાં વાસ છે, જે અક્ષય ગુણેથી શોભાયમાન છે, જે ઉત્તરોત્તર ઉદયવાળા છે અને જે રાગાદિથી અજિત છે એવા શ્રી અજિતનાથ મ -પ૭.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy