SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લધુ રચનાઓ ચાર શિક્ષા વ્રત: (૯) સામાયિક વ્રત (૧૦) દેશાવગાશિક વ્રત (૧૧) પૌષધ વ્રત (૧૨) અતિથિ સંવિભાગ ત. બધા છે માટે રોજેરોજ બધા જ તેનું સંપૂર્ણ પરિપાલન કરવાનું અઘરું છે. અજ્ઞાન કે પ્રમાદને કારણે કે તેવા પ્રકારના સંગને કારણે વ્રત પાલનમાં ક્યારેક શિથિલતા આવી જવાને સંભવ છે. એ શેા ઉપાય વિચારીએ કે જેથી તપાલનમાં ઓછામાં ઓછી શિથિલતા આવે? એ માટે જૈન શાસ્ત્રકારોએ વ્રત પાલનમાં આતા દેના નીચે પ્રમાણે ચાર સહમ પ્રકાર પાડયા છેઃ (૧) અતિક્રમ, (૨) વ્યતિક્રમ, (૩) અતિચાર અને (૪) અનાચાર. આ ચાર પ્રકાર અનુક્રમે ઉત્તરોત્તર વધુ ગંભીર દેષરૂપ છે. અને એટલા માટે આરંભમાં જ છે એ દેષને વધતે અટકાવવામાં આવે તે મનુષ્ય મોટા પાપમાંથી બચી જઈ શકે. અતિક્રમ એટલે વ્રતભંગ માટે મનમાં વિચાર ઉદ્દભવે કે ઈરછા જન્મવી. વ્યતિક્રમ એટલે તેવી ઈચ્છા પાર પાડવા માટે શરીરના હલનચલનરૂપી ક્રિયા શરૂ થવી. અતિચાર એટલે તેવી વ્રતભંગરૂપ ક્રિયા કરવા માટે દેહથી તૈયાર થવું અને આગળ વધવું. અનાચાર એટલે તેવા દેષરૂપ, વ્રતભ ગરૂપ, પાપરૂપ, કિયા કરવી. ઉદાતરીકે કેઈને રાત્રે ભજન ન કરવાનું વ્રત હોય. તેવી વ્યક્તિને રાત્રે ભોજન કરવાની મનમાં ઈચ્છા થાય તે તે અતિક્રમ છે તેવી ઈચ્છા માટે તે જે ઊભે થાય તે તે વ્યતિક્રમ છે અને મ - ૬
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy