SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી-સંગ્રહ આસ અય્યારી પૂરિ સવહારી ભવતારી દઈ બેહિ. ઇતિ શ્રી જયશેખરસૂરિક્તા શ્રી પાર્શ્વનાથ વિનતી. વિવણ તેવીસમા શ્રી પાર્શ્વ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે: “હે પાર્શ્વપ્રભુ! સર્વ કળાઓથી યુક્ત, હમેશાં ફળ આપનારા, મનહર સુંદર એવા આપના ચરણેને સર્વ ઈલો પૂજે છે. આ મંદિર પર્વત જેવા ધીર છે. ત્રણ લેકને પ્રકાશિત કરવામાં સૂર્યરૂપ એવા હે પાર્શ્વપ્રભુસાગર જેવા ગંભીર એવા આપના ગુણેને નગરજને. ઉત્સાહથી ગાય છે. આપની આજ્ઞા પ્રમાણે જે આરાધના કરે છે તેને આપ સિદ્ધિ સંબધી સુખે દેખાડે છે અને ઘણા ઘણુ લાભ આપે છે-- શિવરમણીની સાથે આપ વિલાસ કરે છે. મોટે ભાગે સર્વ જિનમદિરમાં આપ બિરાજમાન છે અને સૂર્ય સમાન તેજસ્વી છે. આપે ભૂત, બલિ અને કામદેવના સુભટને ભાંગ્યા છે અને. મહારાજને આપે પરાસુખ કર્યો છે. બલવંત એવા આપે કર્મોને હચ્યાં છે. આપની આગળ સુરેન્દ્રો અને નરેન્દ્રો શીશ ઝુકાવે છે. જેમ સંત, વૃક્ષની છાયાને સેવે છે તેમ તેઓ, હે પરમેશ્વર ! આપના ચરણેને સેવે છે. - અજ્ઞાની એવા અમે ભભિવમાં નિરંતર ભમ્યા અને સુદેવ તથા કુદેવના અંતરને ન જાણું. હું અન્ય ધર્મમાં લેપતે રહ્યો. હવે હું સુગુરુનાં વચનોથી જાગ્રત થયે છું. આંતરચક્ષુથી આપને નિહાળું છું તેથી હે પ્રભુ! રત્નત્રયી મને આપજે. મનનું હરણ કરનારી એવી મનહર વારાણસી નગરી છે. ત્યાં અશ્વસેન રાજા રાજ્ય કરે છે. તેમને સુંદર એવી વામા નામની રાણ.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy