SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જ્યશેખરસરિ- ભાગ ૨ વિવરણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં કેટલાંક તીર્થો સુપ્રસિદ્ધ અને મહિમાવંત મનાય છે. એ તીર્થોમાં પાટણનું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પણ સુવિખ્યાત છે. એ વિશે લખતાં કવિ કહે છે: “હે સખે! શ્રી પાર્શ્વનાથ પંચાસરાના નાથને જોઈને હૈયામાં હર્ષ કેટલો બધે થયો તે હુ જાણી શકતા નથી. કે તેની ગણતરી પણ કરી શકતા નથી. પૂર્વજન્મમાં પુણ્યકાર્ય કર્યા હશે તે આજે હે દેવ! આપને જોઈને સામટાં ફળ્યાં છે. આપના નામ-સ્મરણથી ભૂતલમાં ભવભ્રમણ અટકી જાય છે, દુર્ગતિને નાશ થાય છે પ્રસન્નતા અને ઉલાસ સહિત સહેલાઈથી સવ રિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સિદ્ધિરમણી તેના હાથનું આલબના લેનારી બને છે. હે પ્રભુ! ભાવથી નિત્ય દર્શન કરનારાઓના ભાગ્યને તમે પૂરે છે છે. પંચાસરા પાર્શ્વપ્રભુ! વળી આપ ભક્તની આશાને પણ પૂર્ણ કરો છો. મહા વ્યાધિની વેદનાને આપ જલદીથી નિવારે. છે અને પાપરૂપી નદીના પૂરમાં પડેલા અને પાર કરે છે. કાચ અને કપૂરથી બનેલી મૂર્તિમાં શ્રેષ્ઠ અમૃતરસ ઘરેલું છે. આવી મૂતિના જે ભાવિકે દર્શન કરતા નથી તેઓ એ કૃપારૂપી ખાણમાંથી માત્ર પાષાણને મેળવે છે. હમેશાં એસઠ ઈદ્રો આપની પાસેથી દૂર જતા નથી તથા અન્ય કરકે દેએ પણ આપની સેવાને આરંભી છે. આવું દશ્ય જોવા મળે છતાં પણ જેનું ચિત્ત પ્રભુમાંથી ચલાયમાન થાય છે તેવા મૂઢમતિ આ તિર્યની તોલે છે. જેઓ મનથી આપનાં દર્શન કરવા ઈચ્છતા નથી તેવા છે કર્મસંબંધી ભારે ભારને વહન કરીને ફરીથી સંસારના ફેરાને માંડશે. ક્યાં ભીલવાડા અને ક્યાં રાજધાની? કથા અન્ય ધાતુઓ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy