SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી સગ્રહ t ત્યારપછી કેટલાક કાળ વિષ્ણુએ આ પ્રતિમાનુ ધ્યાન ધર્યું" હતુ. ત્યારમાદ આ પ્રતિમા દ્વારિકાનગરીમાં પાછી આવી. ત્યાં કૃષ્ણદેવે એની પૂજા કરી. જ્યારે દ્વારિકાનગરી અગ્નિથી મળી રહી હતી ત્યારે . સાગરદત્ત શ્રેષ્ઠિ પ્રતિમાને ગ્રહણ કરીને કાંતિપુરીમાં લાવ્યા હતા. ત્યારપછી નાગાર્જુન જોગીએ તે પ્રતિમાને લીધી. પ્રતિમાના 'પ્રભાવથી સેઢી નદીના કિનારે તેમને સુવણુ રસ સિદ્ધ થયે હતા. હે પ્રભુ! આપના વિના બીજા કોઈના એવા પ્રભાવ નથી. વરસાદના કારણે સેઢી નદીમાં જ્યારે પૂર આવ્યુ. ત્યારે આપની પ્રતિમા ઉપર ઘણી વેલુ (રેતી) વળી ગઈ હતી. પરંતુ એક ગાય સ્વચ તેના પર દૂધ આપીને સ્નાત્ર કરતી હતી. " " આ શ્રી અભયદેવસૂરિએ પાતાના જ્ઞાનથી વાત જાણી અને ભૂમિમાં રહેલી આપની આ પ્રતિમાને તે બહાર લાવ્યા હતા. તેથી શ્રી પાર્શ્વપ્રભુ! આપની કૃપાથી એમનુ કાઢયુક્ત શરીર નીરાગી થયું હતું. એમણે સ્થલનપુરમાં જિનમદિરની અંદર આપની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. મેઘ સમાન નીલવળુ અને નયનાને આનંદ આપનારા એવા આપના જગતના સલાકાએ દર્શન કર્યાં હતાં. ગુજરાતની ધરાને મ્લેચ્છ લાકાએ જ્યારે આક્રાંત કરી હતી ત્યારે તે સમયમાં આપશ્રી પાર્શ્વ પ્રભુએ ખ‘ભાતનગરને અલંકૃત કર્યું" હતુ અને આપની પ્રતિષ્ઠાથી સમગ્ર પૃથ્વી પ્રકાશિત થઈ હતી. આપની પ્રતિમાની ઉત્પત્તિ વિશે સમગ્રપણે આ જગતમાં કાણુ જાણે છે ? મારા જેવા બુદ્ધિહીન માણસ કેવી રીતે એનાં વખાણુ કરી શકે ? હું સ્વભાવતઃ અજ્ઞાન પ્રતિમાને મહિમા વધુ વતાં કવિ કહે છે કે આ પ્રતિમાની જે સાચા ભાવથી પૂજા કરે છે તેના ઘરઆંગણે કામધેનુ ગાય ચરે છે; તેના હાથમાં ચિંતામણિરત્ન સ્વયં મળે છે અને જાણે કલ્પવૃક્ષ ફળે છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy