SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨ આવે છે અને બીજાને દ્વિતીય ટ્રાઝુકાવ્ય' તરીકે ઓળખાવવામાં આવે છે. પર`તુ તે તે વ્યવહારની દૃષ્ટિએ જ છે, કારણુ કે એક ફ્રાઝુકાવ્યના પ્રકાશન પછી કેટલેક સમયે ખીજુ એક ફ્રાઝુકાવ્ય મળી આવ્યુ' એટલે તે પ્રકાશિત કરતી વખતે તેને દ્વિતીય ફાઝુકાવ્ય તરીકે આળખાવવામા આવ્યુ. એટલે પ્રથમ નેમિનાથ ફ્રાઝુકાવ્ય તે જયશેખરસૂરિએ પહેલી રચેલી ફાકૃતિ છે એમ નિવિવાદપણે કહી શકાય નહીં. આ વિષયમાં ભવિષ્યમાં વધુ સ શેાધના થતાં અને વધુ માહિતી સાંપડતાં આ બન્ને ફ઼ાશુકાન્ચાના પૌર્વીપના નિર્ણય થઈ શકે. જયશેખરસૂરિનું ૫૭ કડીનું પ્રથમ નેમિનાથ ફ઼ાશુકાવ્ય ગાયકવાઢ આરિએન્ટલ સીરીઝ’માં ઈ. સ. ૧૯૫૬માં પ્રગટ થયુ` હતુ` અને જુ' ફાઝુકાવ્ય 'પ્રાચીન ફાશુસ ગ્રહ'માં (સ'પાઈક ડૉ. ભ્રાગીલાલ સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ) ઈ. સ. ૧૯૬૦માં પ્રગઢ થયુ હતું. એટલે પ્રથમ ‘નેમિનાથ ફાગુ' અને દ્વિતીય નેમિનાથ ફાગુ' એ બન્ને સ'જ્ઞાએ, ખીજા' અન્યથા પ્રમાણેા ન મળે ત્યાં સુધી, એ જ સ્વરૂપે વાપરવી રહી. કવિ જયશેખરસૂરિન કવનકાળ વિ. સ'. ૧૪૩૬થી વિ. સ. ૧૪૬૨ સુધીના નિશ્ચિત છે, કારણ કે એ રચનાસાલની કૃતિ આપણને સાંપડે છે. પરંતુ વિ. સ. ૧૪૩૬ની પૂર્વે અને વિ. સ. ૧૪૬૨ની પછી કેટલાંક વર્ષો સુધી કવિએ અવશ્ય કઈક રચના કરી હશે. એટલે એક'દરે ૩૫-૪૦ વર્ષોંના એમને જે કવનકાળ આપણને જોવા મળે છે તેમાં કાઈક સમયે આ અને ક્ાશુક્રૃતિની રચના કવિ જયશેખરસૂરિએ કરી હશે. આ ફ્રાઝુકાવ્યાની નિશ્ચિત રચનાસાલ જેમ આપણને સાંપડતી નથી તેમ એ અનેનાં રચનાસ્થળ વિશે પણ કશી નિશ્ચિત માહિતી સાંપડતી નથી, એટલે આ અને ફાશુકાવ્યાને પંદરમા શતકનાં ફ્રાઝુકાવ્ય તરીકે આપણે ઓળખાવીએ છીએ.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy