SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્યાદાદ ૫૭ અયવસાય, તેનું જ નામ તક છે. જેમ કે જે અગ્નિ વિના ધૂમ રહી શકતે હોય, તે તે અગ્નિનું કાર્ય બનશે નહિ, અને એમ થાય તે ધૂમની અપેક્ષાવાળા જે અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ અને એમ થવાથી અગ્નિ-ધૂમની લેકપ્રસિદ્ધ કાર્યકારણતા પણ ટકશે નહિ. અને એમ થાય તે ધૂમની અપેક્ષાવાળા જે આ જાતિના તથી અગ્નિ-ધૂમને વ્યાપ્તિનિયમ સિદ્ધ થાય છે અને એ વ્યાપ્તિ-નિયમના બળથી અનુમાન કરી શકાય છે. હેતુદશન અને વ્યાપ્તિ સ્મરણથી અનુમાન થાય છે. તેના બે પ્રકારે છેસ્વાથનુમાન અને પરાથનુમાન. બીજાના સમજાવ્યા વિના પોતાની બુદ્ધિથી જ હેતુ આદિ દ્વારા જે અનુમાન કરાય છે, તે સ્વાર્થનુમાન અને બીજાને સમજાવવા જે અનુમાનપ્રોગ રજુ કરવામાં આવે છે, તે પરાથનુમાન કહેવાય છે. પ્રત્યક્ષ, સ્મરણ અથવા અનુમાનાદિ કેઈ પણ જ્ઞાન, જે શબ્દ દ્વારા રજુ કરવામાં આવે છે, તે પરાર્થે સમજવું. અનુમાનમાં સાધન યા હેતુના ત્રણ યા પાંચ લક્ષણે માનવામાં આવ્યાં છે, તે વ્યાજબી નથી. એક અવિનાભાવ લક્ષણ જ સાધનનું લક્ષણ માનવું પુરતુ છે. જે હેતુમાં અવિનાભાવ લક્ષણ ન હોય, તે હેતુ સાચે હોય એમ કદી બનતું નથી અને કોઈ પણ બેટા હેતુમાં અવિનાભાવ સંબંધ હોય એમ પણ બનતું નથી. બૌદો હેતુનાં ત્રણ લક્ષણે-પક્ષસવ, સપક્ષસત્વ
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy