SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરાત્મક વિવેચન આપેલું છે, જે વાંચનારને રસદાય થવા સાથે ઉપયોગી તત્વજ્ઞાન પૂરું પાડવું જરૂરી અને હિતાવહ છે, તે સદેહાનું નિરાકરણ કરનાર હોવાથી, શ્રદ્ધા રૂપી સરાણને પુષ્ટ બનાવે છે. ગ્રન્થની છેવટે અને અંતિમ-કથનની પહેલાં આપેલા અગ્રેજ લેખકના ઉગારે પણ શ્રદ્ધાને સુદઢ બનાવે તથા ધર્મ અને સદાચાર પ્રત્યે સદભાવ જગાડે તેવી છે. આ નાનકડું પુસ્તક કેવળ વાંચવા માટે નહિ કિન્તુ શ્રદ્ધા જગાડવા માટે તથા એકવાર નહિ કિન્તુ અનેકવાર વાંચવાની ભલામણ છે. ધર્મ-શ્રદ્ધાને સુદઢ બનાવવા માટે, પ્રાથમિક ભૂમિકામાં આજના સમયે જરૂરી એવી ઘણી વાતે આલેખાયેલી આમાં મળી આવશે. આજે જ્યારે અશ્રદ્ધાનું જોર વધતું જાય છે, ત્યારે જેના ચાગે જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા ઉત્પન્ન થવા પામે તેવા સાહિત્યના પ્રકાશન અને પ્રચારની ખાસ જરૂર ઊભી થઈ છે. સંવત ૧૭ના અધેરીના ચાતુર્માસ દરમ્યાન અધેરીનિવાસી સંઘવી નગીનદાસ કરમચંદ તરફની વિનંતિના પરિણામે આ એક સ્વલ્પ પ્રયાસ કરવામાં આવ્યા છે. એમાં રહેલી ત્રુટિઓ અને અશુદ્ધિઓ વગેરે ઉપર લક્ષ્ય નહિ આપતાં, પ્રકાશક અને લેખકના આશયની શુભતા ઉપર લક્ષ્ય દઈ, સભ્ય શ્રદ્ધા રૂપી અમૂલ્ય સદ્ગુણો વિકાસ કરવા માટે જ, આને ઉપયોગ કરવામાં આવે એવી સૌ કે વાંચકને લેખકની ભલામણું છે. સં. ૧૯૯૮, મહા વદી ૫, શુક્રવાર ઘાટકોપર તા. પ--૧ } મુનિ ભદ્રંકરવિય.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy