SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધર્મ-શ્રદ્ધા માંસથી તો અળગું રહેવું પડે. પરંતુ ખ્રિસ્તી બનવામાં તે કોઈ પ્રકારને પ્રતિબંધ જ નહિ. ખાવા પીવા અને જશેખની દૃષ્ટિએ વિચારીએ, તો જે કુળને નંબર સૌથી. છેલ્લે જ આવે અને જૈનકુળમાં જન્મનાર કમનસિબ જ ગણાય, કે જેથી અનેક પ્રકારના પ્રતિબંધવાળા કુળમાં એને જન્મ થયે ! પણ જગતમાં કઈ પણ સ્થળે ખાવા-પીવાની. અમર્યાદિતતાને ઉત્તમપણાનાં ચિહ્ન તરીકે કે ઉત્તમ કુળના. લક્ષણ તરીકે કદી પણ વર્ણવામાં નથી આવી. ઉત્તમ કુળની ખૂબી તો એની ખાનદાનમાં છે. અને એ ખાનદાની બીજા જેને ઓછામાં ઓછું દુઃખ દેવાની શુદ્ધ ભાવનામાં રહેલી છે. એ ભાવનાને આચરણમાં ઉતારવાનો સૌથી ઊંચામાં. ઊ એ અને અત્યંત જરૂરી માર્ગ જૈનકુળમાં રહેલા છે. જે જિહુર્વેદિય ઉપર સંયમ કેળવી શકે, તે બીજી અનેક વસ્તુઓ ઉપર જરૂરી સંયમ મેળવી શકે છે અને જેને. જિહુર્વેદિય ઉપર સંયમ નથી, તે બીજા કેઈ પણ ઊંચા. પ્રકારના આત્મિક સંયમ માટે લાયક બની શક્તા નથી. પિતાના સંતાનેને આ જાતિનો ધાર્મિક વાર આપવા પ્રયત્ન કરે એજ સમ્યગ્ગદષ્ટિ માતાપિતાઓનું સાચું ક્તવ્ય. છે. એથી જ પિતાના સંતાનોનું આત્મિક ભવિષ્ય સુધરે છે. કેવળ ધનનો વારસે આપી જવાથી જ સંતાન ભવિષ્યમાં સુખી થશે, એ જાતિની માન્યતામાં દીર્ઘદ્રષ્ટિ નથી કિન્તુ કેવળ મોહ છે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy