SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-શ્રદ્ધા માણસ પિતાના હાથે જેટલું વાપરે અને ખર્ચ એટલું ધન એનું બાકી બીજા કોઈ પણ ધનને તે કે તેનાં સંતાન માલિક નહિ, પણ રાજ્ય માલિક તે ધનસંચયની ભાવના ટકે? ન જ ટકે. રાજા એ કાયદો ન કરે તો પણ ધમી આત્માએ તે એ રીતે જ વર્તવું જોઈએ. બાળકને ધનને વારસે આપવાના બદલે ધર્મભાવનાને કે આત્મભાવનાને વારસે આપવાની ભાવના જ રાખવી -જોઈએ. બાળકને ધાર્મિક વારસે ન અપાય, તે એના આત્મકલ્યાણનું શું થાય? એને પિતાનું ભવિષ્ય સુધારવાને પાઠ ક્યાં મળે ? એક સાચા હિંદુને બચ્ચે ગમે તેટલે ભૂપે થાય, તે પણ માંસ ખાવાને વિચાર સરખે પણ નહિ કરેઃ ગમે એટલે તર થશે, તે પણ દારૂનું નામ પણ નહિ લેવાનેઃ તેમ શ્રી જિનેશ્વરદેવને સાચે સેવક -ભૂખથી પિટમાં લ્હાય લાગે તે પણ અનન્તકાય-કંદમૂળ ખાવાને વિચાર સરખે પણ નહિ કરે. એ સાચે ધાર્મિક -વારસે છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દરેક જીવને જીવવાને સરખો હક્ક છે. પિતાની ઈચ્છાપ્તિ માટે અન્ય જીવોને નિરર્થક સંહાર કરવાની કેઈને છૂટ નથી. એ વારસાને પામેલે જીવનનિર્વાહને માટે હિંસા કરવી પડે તેય તે બળતા હૈયે કરે તે પણ એટલી જ કરે, કે જે અનિવાર્ય અને ઓછામાં ઓછી હેય. અનંતકાચમાં કયાં જીવ દેખાય છે? એ કુતર્ક એ ન કરે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy