SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ અધિક કે દુખ કરે છે. જર્મન પંડિત શેપનહીર (Sehopenhaur) પણ એક જગ્યાએ આજ મતલબનું કહે છે. તે કહે છે કે “એકંદર મનુષ્યની જેટલી સુખેચ્છા થાય તેમાંથી કેટલી સફળ થાય છે, તે ઉપરથી જ તે કેટલે સુખી છે, એમ સમજાય છે. અને જે સુપગ સુખેચ્છાથી કમી પડશે તે તેટલા પ્રમાણમાં તે દુઃખી સમજાય છે. આ જ પ્રમાણુ ગણિતની રીતિએ નીચે મુજબ આવે છે. Happiness divided by will” અર્થાત સુખપગને સુખેચ્છાથી ભાગાકાર કર, એટલે અપૂર્ણાંકની રીતિએ સુખપગસુખેચ્છા એ પ્રમાણે, લખવું જોઈએ. પણ આ અપૂર્ણાંક એ તે વિલક્ષણ છે કે એને છેદ (સુખેછા), એના અંશ (સુખોપભેગ) કરતાં હંમેશા અધિક પ્રમાણમાં વધતે જ ચાલે છે. અથનું પ્રથમ ૩ હોય તે પછીથી જ થાય છે. એટલે સુખોપભગ ત્રણગણે થાય તે સુખેચ્છા પાંચગણી વધે છે. એટલે પરિણામે વધારે ને વધારે અપૂર્ણ જ થયે જાય છે. માટે જ મનુષ્ય સુખથી પૂર્ણ થાય એ આશા જ રાખવી વ્યર્થ છે. અમુક કાળમાં સુખ અધિક હતું કે અમુક દેશમાં સુખ અધિક છે, એને જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે માત્ર સુખના અંશસ્થાનનો જ વિચાર કરવામાં આવે છે. પરંતુ તે બંશ કરતાં કેદની કેટલા ગણું વૃદ્ધિ થાય છે તેના ઉપર લય દેવામાં આવતું નથી,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy