SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધર્મ-શા પ્રશ્ન વધવિરતિનાં પચ્ચખાણ કરવાથી તીર્થ છેદની આપત્તિ નહિ આવે? સિંહ વગેરે ક્રૂર પ્રાણીઓ યુગપ્રધાનાદિ આચાર્યને વધ કરવા તૈયાર થાય, તે વખતે પચ્ચખાણવાળે શ્રાવક સિંહાદિને મારી શકે નહિ અને આચાર્યાદિના પ્રાણને વિનાશ થાય તે તીથને ઉછેર થાય, માટે પચ્ચખાણ લીધા વિના જ જ્યારે જે ઉચિત હોય, ત્યારે તેમ વર્તવું શું ખોટું? આગામી દેષને ભય આગળ ધરવામાં આવે, તે કોઈ પણ શુભપ્રવૃત્તિ નહિ થઈ શકે. સિંહવધથી રક્ષણ કરાયેલા આચાર્યને રાત્રે સર્ષ નહિડસે? અથવા તે ચોષિદાસેવનાદિ અકાર્ય કરી તીર્થોચ્છેદક નહિ બને? અથવા અન્નદાન આપવાથી મુનિને અજીર્ણ નહિ થાય? ખાવાથી પિતાને અજીર્ણ નહિ થાય? જવા આવવાથી અકસ્માત નહિ થાય? કાંટે નહિ વાગે? ભીંત નહિ પડે? એ વગેરે જેના કારણે ખાવા-પીવા હરવા–ફરવા આદિની ક્રિયા બધા બંધ કરે છે? નહિ જ. એ કારણે શુધ્ધ ચિત્તવાળા, શ્રધ્ધાળુ, અપ્રમાદી અને ધીર પુરૂષ આગામી કાળના સંભવિત દેને વિચાર કર્યા વિના વધવિરતિના પચ્ચખાણ કરે છે. પાપના ક્ષય માટે પચ્ચખાણ અવશ્ય જરૂરી છે. પચ્ચખાણ નહિ કરવાથી પ્રાણિવધતું ઘેર પા૫ આવતું અટકતું નથી. જીવોના વધની વિરતિ નહિ કરવી તે જ વધે છે. નિશ્ચયથી અવિરતિ એ જ વધે છે, કારણ નિવૃત્તિ (વિરતિ) ન કરે ત્યાં : સુધી પ્રવૃત્તિના પરિણાભ રહવાના જ. એ કારણે કર્મ,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy