SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશ્રદ્ધા થાય છે, એમાં પ્રમાણ શું ? નારક ન્યાય પ્રમાણ છે એમ કહેવામાં આવે અર્થાત્ નારકોના જીવન પરમાધામી હણે છે તેથી રૌદ્રધ્યાન કરે છે, તે પણ તેઓને જેટલા કમની નિજર છે તેટલા કમને બંધ નથી. પરમાધામીના અભાવે અન્ય પીડા કરવાથી પણ નારકીઓ કર્મ ખપાવે છે. નરકમાં સંકુલેશ એટલે પીડા સહન સિવાય કર્મ ખપાવવાનું બીજુ કેઈ સાધન જ નથી, એમ કહેવામાં આવે તે તે ખોટું છે. નારકીઓનું આયુષ્ય નિરૂપકમ હોય છે. તથા શરીર છેદાવા છતાં પણ વૈક્રિય હોવાને લીધે પારાની પેઠે એકત્ર થઈ જાય છે દેહને દહનપાટનાદિક અત્યંત તીવ્ર વેદનાઓ થવા છતાં પણ, તે દુખથી તેઓ મૂચ્છિત થઈ જતા હોવાથી તેમને તીવ્ર સંકલેશ થતું નથી. આ લેકમાં પણ મૂચ્છને પામેલા મૂઢચેતનાવાળા અને દુઃખમાં ઘેરાઈ ગયેલા આત્માઓને સ્ત્રી, ધન આદિ સંબંધી રાગાદિ સંલેશ થતું નથી, કારણકે–તેમની ચિત્તવૃત્તિ દુઃખાદિ માત્રની અંદર જ શકાઈ ગયેલી હોય છે. નારક જીવોને પણ તીવ્ર શારીરિક વેદનાઓને અનુભવ થવા છતાં ઘણું ક્રૂર અને માઠાં પરિણામ થતા નથી, તેથી તી રાગદ્વેષને તેમને અભાવ છે. નારકીએને બધુ જેમ પાતળો છે તેમ ક્ષય પણ એકાતે ઉત્કૃષ્ટ નથી. “જે કમ નારકીઓ ઘણુ ક્રોડ વર્ષે ખપાવે
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy