SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-શ્રદ્ધા પ્રશ્ન ધર્મ પ્રત્યે આજે આટલી બેદરકારી શાથી છે?' ઉત્તર ધર્મ પ્રત્યેની અત્યારની બેદરકારીના કારણે અનેક છે. જડવાદની વૃદ્ધિ અને એને પોષતું જ શિક્ષણ પ્રચાર પામવાથી આવી કેળવણી પામેલા ઘણાઓની. ધર્મશ્રદ્ધા પડી ભાંગી છે. વિલાસપ્રિયતા વધવાના કારણે સંયમના માર્ગો સાથે વર્તમાનના જીવેને ફાવટ આવતી નથી. ધર્મ એ આરેહણ અને સંયમને માર્ગ છે, તેથી અઘરે છે જડવાદના અંગે પ્રદિપ્ત થયેલી બાહ્યા અહંતા પણ ધર્મ પ્રત્યેનાં રીસામણાનું કારણ છે. અહંતાના ગે કેટલાકે એમ માને છે કે – માનવું એટલે પાળવું અને જે પાળવું નહિ તે માનવું નહિ માન્યા પછી નહિ પાળવામાં અહંતા ઘવાય છે. એ કારણે સ્વયં સ્વીકારેલી અહંતાને જાળવી રાખવા માટે પણ ધર્મ પ્રત્યે આંખમીંચામણ કરવામાં આવે છે. વસ્તુતઃ માનવું અને પાળવું, એ બે એક વસ્તુ નથી, માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના રાખવી. પાળવું એટલે તે અખલિત જીવન ગાળવું. પણ એ તે માનવીનું અભિલષિત છે, લક્ષ્ય છે. સત્યને, દયાને કે શીલને સંપૂર્ણ ન પાળી શકીએ, ત્યાં સુધી તેને માનવા, પૂજવા અને વદવાને પણ શું માનવીને અધિકાર નથી ? અવશ્ય છે. ધર્મની મુખ્ય પ્રવૃત્તિ મનુષ્યના વિકારેને મર્યાદિત કરવા પ્રત્યે છે. ધર્મમાં મર્યાદાના ગીત ગાન છે, પણ સ્વચ્છંદતાને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy