SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મ-શ્રદ્ધા આશ્રય ન મળે તો પણ ઊગે છે. બટાકાના અનેક કકડા કરી નાખવામાં આવે, તે એ પ્રત્યેક કકડે પૃથ્વીમાં વાવવાથી ઊગી નીકળે છે. બીજી વનસ્પતિઓ માટે તેમ બનતું નથી. એ જ બતાવે છે કે- બીજી વનસ્પતિઓ કરતાં બટાકા, કુંવારનું પાછું કે બીજા કંદમૂળ અને અનંતકાયમાં મોટે તફાવત છે. અને એ તફાવત ની અનંત સંખ્યા સિવાય બીજે કંઈ નથી. જીની મોટામાં મોટી સંખ્યાને જ એ પ્રભાવ છે કે કંદમૂળાદિ છેદ્યા છતાં વાવવાથી ફરી ઊગે છે અથવા વાવ્યા વિના પણ ફરી ઊગે છે. પ્રશ્ન હૃદય કબૂલ રાખે તે ધર્મ અને હૃદય કબૂલ ન રાખે તે અધમ, એ વ્યાખ્યા બરાબર છે? ઉત્તર૦ મૂર્ણ આત્માઓ સિવાય એ વાતને કેઈ પણ નહિ સ્વીકારે. હૃદય કે અંતર પ્રમાણ છે પણ જ્ઞાનીનું, અજ્ઞાનીનું નહિ. અજ્ઞાની કે દુરાચારી આત્માના અંતરમાં જેટલા વિચાર આવે, તે બધા સત્ય છે કે સ્વીકારવા ગ્યા છે, એમ કઈ પણ ડાહ્યો પુરુષ માની શકે નહિ. જે પુરુષ પ્રામાણિક નથી, તેને વિચાર કે તેનું વચન પણ પ્રમાણ નથી અને જે પુરુષ પ્રામાણિક છે, તેને વિચાર અને તેનું વચન પ્રમાણભૂત છે. એ જ ન્યાય સઘળા જ્ઞાની પુરુષે એ સ્વીકાર્યો છે અને આપણે પણ માન્ય રાખવા લાયક છે. કિલષ્ટ પરિણામ થતું નથી એમ જાણીને વિષ ખાનાર અને અજાણતા વિષ ખાનારમાં જેમ ભેદ પડે છે, તેમ જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy