SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાકર્મ ૧૭ ધામીઓ તેમને તલવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણઘડ-આણદાર પથરના રણમાં, અણુદાર શૂળના જંગલમાં, ખારની ભરેલી વાવમાં, ઉકળેલા કથીરરસની વેતરણી નદીમાં, કદંબ પુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહા પીડા પામે છે. અતિ તપ્ત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જેને તપાવેલા લેહમાર્ગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે, અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસો કેવાં છે ? મુદુગર, સુસુંઢિ એક જાતનું લેહનું હથિયાર), કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક, ભાલે, બાણ, ળી, લાક, છ, લાંબે ભાલે, નાળ, ચામડામાં મઢેલો પત્પર, સુર્ગારાકાર હથીયાર, મુષ્ઠિ જેવડે પથર, તલવાર, ખેડગ (એક જાતનું શસ), તીર, લેહનું બાણ, કણગ (એક જાતનું બાણ), કાતર, વાંસલે, પરશુ, અણીદાર રંક, એવાં અતિ તીણ, નિર્મળ, ચકચકાટ કરતાં અનેક પ્રકારનાં ભયંકર શસ્ત્રો વિકેય બનાવીને અને સજ કરીને પૂર્વ ભવને વૈરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે, સામા થઈને એક બીજાને મારે છે, સુગરના પ્રહારે એક બીજાને મૂર્ણ કરે છે, મુસુઢિએ કરીને ભાગે છે, દેહને કચડી નાખે છે, યત્રે કરીને પીલે છે, તરફડતા દેહને હથીયારે કરીને કાપે છે. કેટલાક નારકીની ચામડી ઉતરી નાંખે છે, કાન-હઠ-નાકને મૂળમાંથી કાપી નાંખે છે, હાથ–પગ છેદી નાંખે છે, તલ્હાર-કરવત-અણીદાર
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy