SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માત્રને ભયના સ્થાનરૂપ, ત્રાસના સ્થાનરૂપ, અન્યાયકારી, ઉદ્વેગકારી, પલેાકાદિની અપેક્ષારહિત, શ્રુત-ચારિત્રાદિ ધર્માંથી રહિત, પીપાસા-સ્નેહથી રહિત, દયારહિત, છેવટે નરકમાં લઇ જવાવાળા, માહ તથા મહાલયના કરણહાર, અને પ્રાણત્યાગરૂપ દીનપણાને ઉપજાવનાર એવા કહ્યો છે. હિસાનાં નાશ. હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છે; (૧) પ્રાણવધ, એકેન્દ્રિયના ચાર પ્રાણથી માંડી પંચેન્દ્રિયના દસ પ્રાણસુધીના પ્રાણને નાશ કરવા તે, (૨) શરીરથી જીવનું ઉન્મૂલન કરવું તે, અર્થાત્ જેમ વૃક્ષને જમીનમાંથી ઉમેળી કાઢવામાં આવે છે, તેવી રીતે શરીરમાંથી જીવને કાઢી નાંખવે તે, (૩) વિશ્વાસના હેતુ માટે અવિસભ, (૪) હિંસ–વિહિંસા અર્થાત્ જીવના વિશેષે કરીને ઘાત, (૫) અકરણીય-નહિ કરવા ચેાગ્ય કરવું તે, (૬) ઘાત કરવા તે, (૭) મારવું તે, (૮) વધ કરવા તે, (૯) પ્રાણીએને ઉપદ્રવ કરવા તેમને પજવવાં તે, (૧૦) મન, વચન, અને કાયાથી તેમજ દેહ, આયુષ્ય અને ઇન્દ્રિય એ ત્રણથી રહિત રવું, (૧૧) આર ́ભ-સમારંભ કરવા, (૧૨) આયુષ્ય કમને ઉપદ્રવ કરવા, આયુષ્ય કર્માંના ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવુ' (સંકેચાવવું, ટુંકું કરવું, શરીરમાંથી જીવના પ્રદેશને સાચાવવા), (૧૩) મૃત્યુ કરવું, (૧૪) અસયમ કરવા, (૧૫) જીવની સેનાનું મન કરવુ, (૧૬) શ્વાસથી જીવના અંત કરવા, (૧૭) પરભવમાં ગમન કરાવવું, આ ભવ છડાવવા,
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy