SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનાં પો. [પદ ૫૫૮ આ કાંઈ કહું છું તે તે રીસાય જાય છે, મારી પાસે હીન આચરણા કરાવે છે અનેં મને અનેક રીતે કુરાન કરે છે. મારા પતિ બિચારા શુદ્ધાવાધને પાત્ર થયા નથી તેથી સર્વ ગોટા ગળી જાય છે અને મને સાથે ઘસડે છે. આનંદઘનસ્વરૂપ પતિ શુદ્ધ સ્વરૂપ સમજી પ્રગટ કરી મારી માંહુ ઝાલે એટલે પાતે શુદ્ધ સ્વરૂપી થાય ત અત્યારે જે એકપક્ષમાં તેને ઘસડાવાની ટેવ પડી ગઇ છે તે દૂર થાય અને ત્યારે જ તે નિષ્પક્ષ રહે. તે જ્યારે નિષ્પક્ષ થાય ત્યારે પછી હું પણ તેવી થઈ જાઉં એમાં કાંઈ નવાઈ નથી. પ્રમાણે થાય ત્યારે સઘળી બાજી ખરાખર રમાઈ જાય, સર્વ જગાપર વિજય મળે અને ચેતનની ભવભ્રમણા પૂરી થાય. બાજી કેવી રમવી જોઇએ અને કેવા દાણા નાખવાથી વિજય થાય તે માટે બારમા પદ્મમાં વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. પાઠાંતરમાં ખાજીને મદલે ‘બીજું એવા પાઠ છે તે પણ ઠીક છે. એ આનંદધન પ્રભુ હાથ પકડે તા ખીજું તે સર્વે પળાય જાય તેમ છે, તેને જાળવી લેવાય તેમ છે, તેમાં કોઈ પણ પ્રકારના વાંધા આવે તેમ નથી. પળાઈ શબ્દના અર્થ નાશ પણ થાય છે અને તે અર્થ વધારે ઠીક છે. આનંદઘન પ્રભુ હાથ પકડે એ ખાખતપર આખા પદ્મનું રહસ્ય છે. જ્યાંસુધી અનેક જગાપર જઈ પક્ષધર્મ આદરવામાં આવે ત્યાંસુધી આ ચેતનાના ઉદ્ધાર થવાના નથી. જ્યારે શુદ્ધ દશાના ખપી થઈ આનંદઘનસ્વરૂપમાં લય પામવા અઢગ નિશ્ચય થશે ત્યારે જ સર્વે ક્રિયા અને જ્ઞાનનુ ફળ પ્રાપ્ત થવાનું છે એ સ્પષ્ટ વાત છે. એમ થાય નહિ ત્યાંસુધી ગમે તેવા રંગનાં વસ્ત્ર પહેરવામાં આવે, ગમે તેટલી આતાપના લેવામાં આવે, ગમે તેટલી યાત્રા કરવામાં આવે, ગમે તેટલાં આાસના કરવામાં આવે, ઉપર ઉપરની ટુંકામાં કહીએ તે ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, પણ જ્યાંસુધી શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરી તેમાં લય પામવાની દશા ન થાય ત્યાંસુધી તમે અભેદ્યવાદી થાએ કે ભેદવાદી થા, બુદ્ધ થાએ કે જૈન થા, સીમાંસક થા કે વેદાન્તી થાઓ, નયાયિક થા કે વૈશેષિક થાએ એમાં વસ્તુતઃ કાંઈ વળવાનું નથી. આ અતિ વિશુદ્ધ ભાવ શાંત હૃદયે મનમાં વિચારવા ચૈાગ્ય છે. વસ્તુતત્ત્વના રહસ્યના આધ ન થયે હોય તેવા સ્થૂળ સંજ્ઞા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy