SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ આનંદનજીનાં પદા. [પદ આનંઢ માનતા હતા અને તેના વિચાગમાં દુઃખ માનતા હતા. સ્થૂળ ક્રીર્તિમાં શચી જતા હતા અને અપકીર્ત્તિ થવાથી હેરાન થતા હતા. આવી રીતે અનેક પ્રકારના સુખદુઃખના વિચિત્ર ખ્યાલને લીધે તે સંસારચક્રમાં લખ્યા કરતા હતા, પણ વાસ્તવિક સુખ શું છે? ક્યાં છે? અને તે પોતે પ્રાપ્ત કરી શકે તેમ છે કે નહિ? તેને તેને ખ્યાલજ નહાતા, અને તેને લઈને જ તે અનંત વાર મરણ પામ્યા હતા, મતલખ તે જન્મમરણુથી ભરપૂર સંસારમાં ભ્રમતા હતા, ભમ્યા કરતા હતા અને તેનાથી પાર પામવાને માર્ગ ગ્રહણ કરતા નહેાતા. હવે તેને સમજાયું કે આ સર્વે સંસારપરિભ્રમણુનું કારણુ સુખદુઃખના વિચિત્ર ખ્યાલ છે તેથી તેણે નિશ્ચય કર્યો કે સુખદ્રુઃખને હવે ભૂલી જ જવાં. ગમે તેવા સંયોગામાં આવી પડે ત્યારે મનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા, એટલે કે સુખના સ્થૂળ આકારમાં રાચીમાચી ન જવા અને દુખના સ્થૂળ આકારમાં માનસિક વિરસતા ન અતાવવા ચૈતનજીએ નિશ્ચય ર્યો; તેણે મનમાં ધાર્યું કે હવે ગમે તેવા સ્થૂળ સુખદુઃખના પ્રસંગો આવે તેને મનપર લેવા જ નહિ, સર્વ અવસ્થામાં મનને એક સરખું રાખવું, જ્યાંસુધી ન્યાધિનું કારણ સમજવામાં આવતું નથી, ખાટું નિદાન થાય છે, ત્યાંસુધી ચિકિત્સા ખરાખર થતી નથી અને ઘણીવાર વિપરીત જ થાય છે અને પરિણામે હવાથી વ્યાધિ મટવાને બદલે વધી પડે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈ અમરપણું પ્રાપ્ત કરવાની દેઢ ભાવનાવાળા મુમુક્ષ ચેતનજીએ નિશ્ચય ોં કે સાંસારિક સુખદુઃખને તે હવે ભૂલી જ જવાં. આવી રીતે સુખદુખને ભૂલી જવાથી એકને પ્રાપ્ત કરવાની અને એકના ત્યાગ કરવાની જે ઇચ્છા વ્યવહારમાં ચેતનજીને કર્મઅદ્ધપણાને લીધે થાય છે તે થતી હવે અટકી જશે અને તેથી તેની યુદ્ધચેતના પ્રગટ થતાં તેનામાં અમરપણુ સિદ્ધ થશે. આ પ્રમાણે હાવાથી ચેતનજી પાતાનું અમરપણું ખતાવવા પ્રભુસ્તુતિ કરે છે કે હું મારા નાથ । આનંદ્રરાશિ ભગવાન! નીચે જણાવેલા એ અક્ષરા જે શંકા વગરના છે અને જે પેાતાની તદ્દન નજીક રહેલા છે તેનું જે સ્મરણુ નહિ કરે તે મરણ પામશે એટલે કે તે સસારભ્રમણુ કરશે. ચેતનજી કહે છે કે અમે તા અમર હતા અને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy