SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ આનંદધનજીનાં પદો. [પદ નજીએ પિતાની વાસ્તવિક શુદ્ધ દશા યાદ કરી તેમાં રટણ કરવું જોઈએ અને શુદ્ધ દશાને અને તેને જે વિરહ (વિચગ) થયેલ છે તેને અંત લાવ જોઈએ. શુદ્ધ વિમળા દશામાં પરમ પવિત્ર સદગુણનિધાન ચિદાનંદઘન સ્વરૂપ નિરંજન નિર્લેપી ચેતનછ હાલ તે પરભાવમાં એવા ફસાઈ ગયા છે કે તેને બીજું કાંઈ સુજતું નથી, બીજા તરફ તેનું ધ્યાન પણ જતું નથી અને બીજી બાબત તરફ દષ્ટિનિક્ષેપ પણ થતું નથી. આ અતિ ખેદજનક સ્થિતિને કઈ પણ પ્રકારે અંત જરૂર લાવ જોઈએ અને શુદ્ધ દશા પ્રગટ કરવા પ્રયાસ અને યત્ન કરે જોઈએ. ૫દ બેતાળીસમું–રાગ સારંગ અથવા આશાવરી अब हम अमर भये न मरेंगे; अव० या कारण मिथ्यात दीयो तज, क्युं कर देह धरेंगे. अव० १. હવે અમે અમર થયા છીએ (તેથી) મરશું નહિ, જે કારણ માટે મિથ્યાત્વને તજી દીધું છે. હવે અમે શું ફરીથી દેહ ધારણ કરશું ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ શુદ્ધચેતનાની વાત સાંભજળીને ચેતનજીએ કહ્યું કે હવે અમે સમતાના મહેલમાં બીરાજશું અને વાણીવિલાસના તરંગ લગાવશું. આ ભવિષ્ય કાળમાં કરવાના કાર્યની માનિરીક્ષણ કર્યા પછી ચેતનજીને જરૂર વિચાર થાય તે સ્વાભાવિક છે. એવા વિચારને પરિણામે તેને હવે નિર્ણય થયું કે માયામમતાને સગ મૂકી દે એ જ બધી વાતે ઉચિત છે, કારણ કે એમ કરવાથી શુદ્ધ પતિવ્રતા પિતાના ઘરની સ્ત્રીની અપ્રીતિ થાય છે અને પિતે સંસારચક્રમાં રખડી અનેક પ્રકારના દુખે સહન કરે છે. આવા નિર્ણયને પરિણામે ચેતનજી શુદ્ધ માર્ગ પર આવવાને વિચાર કરે ત્યારે તેના મનમાં એક પ્રકારનું સ્વાસ આવી જાય છે, તેને એમ ૧ અબ હવે હમ અથવા અમે. અમરમાં મરવાનું નથી તેવા ભયેક થયો છું ન મ=નહિ મા ચાજે તાજી દયાદી ચુશું હવે ફરીથી દેહશરીર, ધગે ધારણ કરીર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy