SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ હ9 એકતાળીસમું વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ, फागुण चाचर एक निसा, होरी सीरगानी हो; मरें मन सव दिन जर તનાવરણ ૩ ની . વીમા . “હાળી ખેલનારા અને ગાનારાની ટેળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે (પણ) મારા મનમાં તે દરરોજ હાળી સળગ્યા કરે છે અને શરીરની રાખ કરીને ઉડાવે છે.” ભાવ-ફાગણ માસમાં હેળી ખેલનારા પુરૂષ તથા સ્ત્રીઓ ગાયન ગાય છે, વસંત્સવ કરે છે અને ફાગણ સુદિ પૂર્ણિમાની રાત્રે હળી સળગાવે છેપણ મારા મનમાં તે દરરોજ હેળીના ભડકા ઉઠે છે. પતિ મારે મંદિરે પધારી મને આનંદ આપતા નથી અને મારે વિરહાનળ શાંત કરતા નથી તેથી મારા મનમાં તે વિરહાનળના ભડકા રાતદિવસ દરરાજ ઉડ્યા કરે છે. મારા પતિને વિરહ મટે તે જ મારે અંતરદાહ મટે તેમ છે. હોળીને બીજે દિવસે ધૂળી પડે હોય છે તે દિવસે રાખ ઉડાડવામાં આવે છે, પણ મારા મનમાં જે હાળી સળગે છે તે તે મારા શરીરની રાખ કરીને ઉડાવી દે છે, મારું સ્વરૂપ બળી બળીને રાખ જેવું થઈ ગયું છે અને વાસ્તવિક રીતે તે રાખ ઉડાવવામાં આવે છે. મારી એવી ખરાબ દશા થઈ છે કે જાણે હું મૃતપ્રાય જીવન ધારણ કરું છું ચેતનાની આવી જ દશ છે. એની ચેતનાને અંગે વર્તના જોઈએ તે તે કદિ ચેતનાને યાદ કરતા નથી તેથી ચેતનાના અંતરંગમાં વિરહદાહ એટલે વધ્યા કરે છે કે છેવટે ચેતનાનું સ્વરૂપ ધૂળમાં મળી જવા જેવું થાય છે. વર્તમાન દશામાં ચેતનાના સ્થળ શરીરની કલ્પના કરવામાં આવે તો તેને અંતરની પીડા એટલી સપ્ત થાય છે કે તેને પરિણામે તેને ચાચર ને બદલે “ચાચરી એવો પાઠાતર એક પ્રતમા છે તે ઠીક છે, કારણ કે સંસ્કૃતમાં ગાનાર ટેળીને ચર્ચરી કહે છે ૫ ગુણ ફાગણ માસમા ચાચર=ગાનારાની ટળી. એક નિસાએક રાત્રે હેરી=ળી, આગ સીરગાનીસળગાવી, સળગાવે છે સબ દિન=ારાજ, જસળગે છે તન શરીરની ખાખરાખ ઉડાની ઉડાવે છે, ઉડી ગઈ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy