SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાળીશમુ.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૩૫ વખતે અભિમાનથી કે માયાથી બાહ્ય ક્રિયાઓ કરે છે, કીર્તિ ખાતર દાનાદિ આપે છે, પણ તેથી ચેતનાને વિરહાગ્નિ શાંત થ નથી. સહજ પુણ્યબંધ થાય છે તે પણ શુદ્ધચેતનાની અગ્નિને તે વધારે ઉદ્દીપન કરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિએ વિરહાગ્નિ શાંત થાય તેવા સંયમ યતિધર્માદિ સમ્યકત્વપૂર્વક આચરવામાં આવે, એગમાર્ગમાં પ્રવેશ કરવામાં આવે, નિરિછકપણે બાર પ્રકારનાં બાહા અભ્યતર તપ કરવામાં આવે અને શમદમાદિ અંતરંગ ઉપચાર કરવામાં આવે ત્યારે જ તેને અગ્નિ શાંત થાય તેમ છે. બાહા જવર થયો હોય તે તે બાહ્ય ઉપચારથી મટી શકે છે, શમી જાય છે, પણ અંતરને જવર તે અતરગ ઉપાસેથી જ મટે છે. બહુ તત્ત્વદષ્ટિથી જોવામાં આવશે તે જ સમજી શકશે કે ચેતનાને વધારે ત્રાસ આપે તેવા બાહા ઉપ ચારે જ ઘણું ખરી વખત કરવામાં આવે છે. બહુધા તે ઉપચા કરવામાં જ આવતા નથી, ચેતનાને વિસારી મૂકવામાં આવે છે, ભૂલ જવામાં આવે છે, ઉપેક્ષા કરીને બાજુપર નાખી મૂકવામાં આવે છે કદિ કઈવાર તેના તરફ નજર કરવામાં આવે છે અને તેના અગ્નિ શાંત કરવા માટે ઉપચાર કરવામાં આવે છે તે તે પણ બહુધ તેને વધારે નુકશાન કરનાર હોય તેવા જ હાથ ધરવામાં આવે છે શુદ્ધચેતના અને ચેતનના સંબંધનું અજ્ઞાન, ચેતનજીની વાસ્તવિ સ્થિતિને અધુરે અથવા અપૂર્ણ યાલ અથવા તેવા ખ્યાલની તદ્દન ગેરહાજરી અને વસ્તુસ્વરૂપ સાથે ચેતનના સંબંધની અને પ્રત્યેક કાર્યન ચેતનાપર થતી અસર સબંધી સમજણની ગેરહાજરી આનુ કારણ છે બાહ્ય ઉપચાર કેઈ કેઈવાર કરવામાં આવે છે તે પણ ચેતનાને લાલ, કરનાર થતા ન હોવાથી અને ઉલટા તેને તાપ વધારનારા થતા હોવાથી તે કહે છે કે હે સખિ! હું તે મારી શુદ્ધબુદ્ધ હવે તે ભૂલી ગઈ છું. આનંદઘનજી મહારાજે કેટલીક જગોપર વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પાષણ આપ્યું છે એમ જે કહેવામાં આવ્યું છે તેને આ ગાથા એક ખાસ નમુને છે. બાહ્ય ઉપચાર શુદ્ધચેતનાના વ્યાધિને વધારનારા છે એમ કહેવામાં બહુ વિશુદ્ધ તાત્વિક અપેક્ષા–ધ્યાનમાં રાખવામાં આવી છે અને એ અપેક્ષા તેઓના પદમાં ઘણું જગેએ ધ્યાનમાં રાખવી પડે છે. અહીં લૈકિક વ્યવહારની જગાએ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy