SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ૪૩૨ આનંદઘનજીનાં પદે. ઉપર બહુ સારૂ રૂપક આનંદઘનજી મહારાજે અહીં મૂકહ્યું છે તે બરાબર સમજવું. ટઆકાર આ ગાથાને અર્થકરતાં લખે છે કે પ્રાણુપતિ વિના એટલે પ્રાણુના સ્વામી પ્રીતિવલ્લભના વિચાગે તેની વલુભા કયા પ્રકારે પ્રાણુ ધારણ કરે? એટલે એ નહિ જ જીવે એ અર્થ અર્થાતરન્યાસથી દહ કરે છે. મારા દશ પ્રાણુને વિરહદશારૂપ સર્પ પીવે છે ત્યારે પ્રાણી કેમ જીવી શકે? છેલ્લી બે પતિને ટબાકાર અર્થાતરન્યાસ કહે છે તે ચુક્ત જણાતું નથી. જ્યારે વિશેષ વાક્યનું સમર્થન સામાન્ય વાકયથી થાય અથવા સામાન્યનું સમર્થન વિષથી થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે, એ અલંકારને અત્ર પ્રયોગ જણાતું નથી. અર્થવિચારણુ કરતાં ચેતના ન જીવે શામાટે તેનું કારણ છેલ્લી બે પક્તિમાં આપ્યું હોય એમ લાગે છે. બાકારે એક વાત બહુ સુંદર બતાવી છે. દશ પ્રાણને દશ તિધર્મ સમજવા. આ દશવિધ ધર્મ૫ પ્રાણવાયુને વિરહઅવસ્થા પી જાય ત્યારે પછી પ્રાણી કેવી રીતે જીવી શકે. શુદ્ધ ચેતનાના પ્રાણુરૂપ અતિ મવ અજવાદિ ધર્મનું જે સ્વરૂપ અહીં આપ્યું છે તેના નામ માત્ર વિચારી જઈએ. ૧. ક્ષતિ-ક્રોધને ત્યાગ. ૨. માદેવ-માનનો ત્યાગ. ૩. આર્જવ-માયાને ત્યાગ (સરલતા). ૪. મુક્તિ-લાભને ત્યાગ (સંતેષ). ૫. તપ-દાહો અલયતર બાર પ્રકારનાં તપ કરવા. ૬. સંયમ-પૃથ્વીકાય આદિની વિરાધનાને ત્યાગ રહે તેવી રીતે પ્રવૃત્તિ કરવી. ૭. સત્ય–સત્ય પ્રિય મિત અને હિત કરનારું વચન બોલવું. ૮. શૌચ–અલ્પ ઉપકરણ રાખવાં, ગુરૂકુળની સેવા કરવી. ૯. અકિચનત્વ–ધન સુવર્ણાદિ પરિગ્રહને અસ્વીકાર (ત્યાગ). ૧૦. બ્રહાચર્ય-દેવ મનુષ્ય અને તિર્યંચના સ્ત્રીપુરુષસંચાગને કે વિષયસેવનના સર્વથા ત્યાગ, • ૫ આનંદસાગર મહારાજ લખે છે કે પિતાના પ્રાણનાથને પ્રસ્તુત કરી સાપણ વાયુનું ભક્ષણ કરી જાય એ સામાન્ય દુકાન્ત તરીકે લઈ અર્થાન્તરિન્યાસ કરેલ હાય એમ ધારી શકાય
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy